બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:30 AM, 5 September 2025
સપ્ટેમ્બર મહિનો એક ખાસ ખગોળીય ઘટના લઈને આવી રહ્યો છે. 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ જ દિવસે ભાદરવા મહિનાની પૂનમ પણ છે. ખગોળ વિજ્ઞાનમાં ગ્રહણને એક અદભુત ઘટના માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેનું સીધું પ્રભાવ રાશિઓ પર પણ જોવા મળે છે. જ્યોતિષીઓ મુજબ આ ચંદ્રગ્રહણનો ખાસ પ્રભાવ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો પર પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કર્ક, વૃશ્ચિક અને મીન – ત્રણેય જળ તત્ત્વ રાશિઓ છે. ચંદ્રને પણ જળ તત્ત્વનો ગ્રહ માનવામાં આવે છે. સમુદ્રમાં આવતાં જ્વારભાટા અને મનના ફેરફારો ચંદ્ર સાથે જ જોડાયેલા છે. આ કારણે ગ્રહણકાળ દરમિયાન આ રાશિના જાતકોને માનસિક તાણ, ગભરાટ અથવા ભાવનાત્મક અસ્થિરતા અનુભવાય તેવી શક્યતા છે. નાની મોટી ઇજાઓ અથવા અકસ્માતનો ભય પણ આ સમયે વધે છે. ગ્રહણના પ્રભાવથી ખોટા નિર્ણયો લેવાઈ જવાની શક્યતા રહે છે, એટલે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : સ્માર્ટફોન સસ્તા થયા કે મોંઘા? GST દરમાં ફેરફાર બાદ હવે આપવો પડશે આટલો ટેક્સ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.