બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન

ઉપાય / રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન

Shilpa Parmar

Last Updated: 08:11 AM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunday Astro Tips : રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ રવિવારે કયા ખાસ ઉપાય કરવાથી સૂર્યદેવની કૃપા મળે છે?

રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. સૂર્યદેવની કૃપાથી પ્રગતિ, આરોગ્ય, સુખ, શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે કુંડળીમાં સૂર્ય નબળો હોય તો બીમારી, મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે.

રવિવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરીને તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપાયો કરવાથી સૂર્યદેવની કૃપા મળે છે. રવિવારના દિવસે ખાસ ઉપાય કરવાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. જાણી લો રવિવારના ખાસ ઉપાય.

surya-dev-1

રવિવારના દિવસે કરો આ ઉપાય

  • સ્નાન અને સૂર્યપૂજા કરો

રવિવારે સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ કપડાં પહેરી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે "ૐ સૂર્યાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ આદિત્ય નમઃ" મંત્રનો જપ કરવો. સૂર્યદેવને લાલ ફૂલ, લાલ ચંદન, અક્ષત અને નાળિયેર અર્પણ કરો. ધૂપ અને દીવો પ્રગટાવો અને સૂર્ય સ્તોત્રનો પાઠ કરો.

  • સૂર્યનમસ્કાર કરો

સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે સૂર્યનમસ્કાર કરવું જોઈએ. તે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સૂર્યનમસ્કારથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચનક્રિયા સુધરે છે. મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે. સૂર્યનમસ્કાર કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાંનો છે.

surya-namskar-3
  • રવિવાર દાન માટે શુભ

સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે ગોળ, દૂધ, ચોખા, લાલ કપડાં અને તાંબાનું વાસણ દાન કરવું જોઈએ. દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગ્રહોની દશામાં સુધારો થાય છે.

  • લાલ રંગના કપડાં

રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ છે અને તેમને લાલ રંગ ખૂબ પસંદ છે. તેથી રવિવારે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. લાલ કપડાં પહેરી પૂજા કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને સફળતા મળે છે.

  • ઘીનો દીવો

રવિવારે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી સૂર્યદેવ સાથે મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિના યોગ બને છે.

  • ચંદનનું તિલક લગાવો

આ દિવસે ચંદનનું તિલક લગાવીને જ ઘરથી બહાર નીકળવું જોઈએ. માન્યતા છે કે તેનાથી કાર્યોમાં અવરોધ આવતો નથી. તમે જે કામ માટે બહાર જાઓ છો તે ચોક્કસ પૂરું થાય છે.

વધુ વાંચો : શનિની સાડાસાતી-ઢૈય્યાથી છો પરેશાન? તો અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunday Astro Tips Surya Puja Benefits Surya Dev
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ