બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 AM, 13 September 2025
શનિદેવને કર્મફળનો દાતા કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. શનિ એક રાશિમાં લગભગ સાડા બે વર્ષ સુધી રહે છે. આ કારણે શનિને એક રાશિચક્ર પૂર્ણ કરવા માટે આશરે 30 વર્ષનો સમય લાગી જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે શનિની સાડાસાતી અને ઢૈય્યાના કારણે લોકો ચિંતિત થઈ જાય છે.
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ બંને સમયગાળો આર્થિક અને શારીરિક કષ્ટ વધારતો માનવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે શનિ જે રાશિમાં બેઠા હોય તે લોકો હંમેશા દુઃખી જ રહે. ઘણી વખત શનિનો પ્રભાવ નુકસાન સાથે લાભ પણ લઈને આવે છે. ચાલો, જાણીએ શનિની સાડાસાતી અને ઢૈય્યા શું છે અને તેનાથી બચવાના ખાસ ઉપાયો શું છે?

ADVERTISEMENT
શનિની સાડાસાતી શું છે?
શનિની સાડાસાતી ત્યારે શરૂ થાય છે, જ્યારે શનિ તમારી જન્મ રાશિથી બારમાં, પહેલા અને પછી બીજા ભાવમાં ગોચર કરે છે. આ સમયગાળો આશરે 7.5 વર્ષનો હોય છે. આ દરમિયાન જીવનમાં મોટા બદલાવ આવે છે. ઘણીવાર આ બદલાવ સકારાત્મક કરતાં નકારાત્મક વધુ હોય છે. જેમ કે, કારકિર્દીમાં ઊથલપાથલ, આરોગ્ય સંબંધિત તકલીફો અને નાણાકીય તંગી.
ADVERTISEMENT
શનિની સાડાસાતીના મુક્તિ ઉપાય
ADVERTISEMENT

શનિની ઢૈય્યા શું છે?
ADVERTISEMENT
જન્મકુંડળીમાં જ્યારે શનિ ચોથા કે આઠમાં ભાવમાં હોય ત્યારે શનિની ઢૈય્યા લાગતી હોય છે. આ સમયગાળો લગભગ સાડા બે વર્ષનો હોય છે. આ દરમિયાન માનસિક તણાવ, આરોગ્યની મુશ્કેલીઓ અને નાણાકીય તંગી થઈ શકે છે. ઢૈય્યાનો અર્થ છે શનિનો અશુભ પ્રભાવ. તેને સાડાસાતી કરતાં ઓછી કષ્ટદાયક માનવામાં આવે છે.
શનિની ઢૈય્યાના મુક્તિ મેળવવાના ઉપાય
ADVERTISEMENT
વધુ વાંચો : શ્રાદ્ધ કર્મ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીંતર પિતૃઓ થશે કોપાયમાન
શનિની સાડાસાતી અને ઢૈય્યા બંને શનિ સાથે જોડાયેલ સમયગાળા છે. પરંતુ સાડાસાતી લાંબા સમય સુધી રહે છે જ્યારે ઢૈય્યા ટૂંકા સમય માટે હોય છે. સાડાસાતીનો પ્રભાવ વધારે ઊંડો માનવામાં આવે છે, જ્યારે ઢૈય્યાનો પ્રભાવ ઓછો હોય છે. એટલે કે, સાડાસાતી લાંબા ગાળાનો અસરકારક સમય છે, જ્યારે ઢૈય્યા તુલનાત્મક રીતે ટૂંકો અને ઓછો કષ્ટદાયક સમય હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.