બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સર્વે કાર્યોમાં વિઘ્ન બની રહ્યો છે રાહુ-કેતુનો દોષ? તો નવરાત્રિમાં અપનાવો આ ટોટકા

Navratri 2025 / સર્વે કાર્યોમાં વિઘ્ન બની રહ્યો છે રાહુ-કેતુનો દોષ? તો નવરાત્રિમાં અપનાવો આ ટોટકા

Shilpa Parmar

Last Updated: 08:38 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shardiya Navratri 2025 : જો તમારી કુંડળીમાં પણ રાહુ-કેતુનો દોષ છે અને તે જીવનના દરેક કામમાં અવરોધ ઉભો કરી રહ્યો છે? તો નવરાત્રિના પવિત્ર સમયમાં કેટલાક ઉપાય કરવાથી રાહુ-કેતુનો દોષ દૂર થશે અને માતા તમામ દુઃખ દૂર કરશે. જાણી લો નવરાત્રી દરમિયાન રાહુ-કેતુનો દોષ દૂર કરવાના ઉપાય.

જો તમારી જન્મકુંડળીમાં રાહુ-કેતુનો દોષ ચાલી રહ્યો હોય અને દરેક કામમાં મુશ્કેલી આવી રહી હોય તો તેના નિવારણ માટે ખાસ ઉપાય કરી શકાય છે. આ રીતે મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે. ચાલો, જાણીએ એવા કેટલાક ઉપાયો કે જેથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવ ઓછા થઈ શકે.

રાહુ-કેતુ દોષની ઓળખ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને પાપી ગ્રહ માનવામાં આવે છે. કુંડળીના જે ભાવમાં એ ગ્રહો સ્થિત હોય છે ત્યાંથી અશુભ ફળ આપે છે. ખરાબ રાહુ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. જ્યારે ખરાબ કેતુ માણસને વિચાર્યા વગર કાર્ય કરવા પ્રેરિત કરે છે. આ બંનેના દોષથી જીવનમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. રાહુ જ્ઞાનેન્દ્રિયોના કારક છે જ્યારે કેતુ કર્મેન્દ્રિયોના કારક છે.

Rahu Ketu

રાહુ-કેતુના અશુભ પ્રભાવને આ રીતે ઓછા કરો

માન્યતા છે કે માતા દુર્ગાની ભક્તિ કરનારની કુંડળીમાંથી રાહુ-કેતુના દોષનો નાશ થાય છે. નવરાત્રિના દિવસોમાં માતાના સમક્ષ બેસીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરનાર ભક્તને રાહુ-કેતુ ક્યારેય હેરાન કરતા નથી. આ સિવાય દરરોજ "ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રનો 108 વખત જાપ કરવાથી પણ રાહુ અને કેતુ જેવા અશુભ પ્રભાવ ઓછા થવા લાગે છે.

કયા દેવીની પૂજા કરવી?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો ભક્ત માતા બ્રહ્મચારિણી અને માતા ચંદ્રઘંટાની વિધિવત પૂજા કરે તો રાહુ-કેતુના દોષથી બચી શકે છે. એટલે માતાના આ બે સ્વરૂપોની આરાધના કરવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોથી મુક્તિ મળે છે.

Rahu Ketu

શારદીય નવરાત્રિમાં માતાની આરાધના

જો શારદીય નવરાત્રિમાં માતા દુર્ગા સાથે મહાદેવ અને હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે તો રાહુ-કેતુના પ્રભાવથી બચી શકાય છે. શિવ સહસ્ત્રનામ અને હનુમાન સહસ્ત્રનામના પાઠથી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

રાહુ-કેતુના ખરાબ પ્રભાવ દૂર કરવાનો ખાસ ઉપાય

જો રાહુ દોષથી છૂટકારો મેળવવો હોય તો નવરાત્રિમાં ચાંદીથી બનેલી હાથીની પ્રતિમા ઘરે લાવીને પૂજાઘર કે તિજોરીમાં સ્થાપિત કરો અને દરરોજ તેના દર્શન કરો. આ સરળ ઉપાય કરવાથી રાહુનો ખરાબ પ્રભાવ દૂર થઈ શકે છે.

વધુ વાંચો : માતાજી પાસે જે માંગશો તે મળશે! નવરાત્રિના નવ દિવસ આ 9 નિયમોનું કરો પાલન

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shardiya Navratri 2025 How to remove Rahu Ketu dosh Shardiya Navratri 2025 Rahu Ketu Upay
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ