બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:29 AM, 17 April 2025
હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ હોય છે, જેમાં અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે. આ પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે તે 30 એપ્રિલે છે.
ADVERTISEMENT
અક્ષય તૃતીયાને ‘અબુજ મુહૂર્ત’ માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. આ દિવસ ધાર્મિક, પૌરાણિક, આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિએ ખૂબ મહત્વનો હોય છે.
પૌરાણિક માન્યતાઓ
ADVERTISEMENT
અક્ષય તૃતીયાને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત આ જ દિવસે થઈ હતી. તદુપરાંત, દ્વાપરયુગનો અંત અને કલિયુગની શરૂઆત પણ આ જ દિવસે થઈ હોવાનું કહેવાય છે. તેથી આ તિથિને ‘યુગાદિ તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તિથિ ‘અક્ષય’ શબ્દના મહત્વને સ્પષ્ટ કરે છે, જેમાં ‘અક્ષય’નો અર્થ છે – જે ક્યારેય ન ખૂટી જાય. એટલે કે આ દિવસે કરેલા કોઈ પણ પુણ્યકર્મો, દાન કે પૂજા ચિરસ્થાયી ફળ આપનારા હોય છે.
શુભ કાર્ય માટે યોગ્ય દિવસ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન, વાહન ખરીદવા, વ્યવસાય શરૂ કરવા જેવા તમામ શુભ કાર્યો કોઈ ખાસ મુહૂર્ત વિના કરી શકાય છે. ખાસ કરીને તેઓ માટે આ દિવસ મહત્વનો છે, જે લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય.
અક્ષય તૃતીયાએ સોનું ખરીદવાનું મહત્વ
અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. માન્યતા અનુસાર, આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધન-ધાન્યની કદી પણ ઉણપ રહેતી નથી અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સોનાને શુભતા, સમૃદ્ધિ અને સ્થાયિત્વનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ સોનાંની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયક નથી, પરંતુ તે ધાર્મિક રીતે પુણ્યદાયક પણ છે.
આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ પૂજા કરવાનો પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન કુબેરને ખજાનો પ્રાપ્ત થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે, માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સોભાગ્ય, સમૃદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે.
દાનનું વિશેષ મહત્વ
આ સિવાય, દાન, સ્નાન, જપ, તપ અને વ્રતનું પણ આ દિવસે વિશેષ મહત્વ હોય છે. ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ, વસ્ત્ર, પાણી વગેરેનું દાન કરવું આવા કાર્યો વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસ માત્ર ધાર્મિક કર્મો માટે નહિ પરંતુ પરોપકાર અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપતો દિવસ પણ છે.
વધુ વાંચો: દિયોદરમાં બાણેશ્વરી માતાનું ચમત્કારિક મંદિર, રબારી સમાજના લોકો માટે છે આસ્થાનું કેન્દ્ર
DISCLAIMER:
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.