બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સુખ-સમૃદ્ધિ સાથે મળશે વિશેષ પુણ્ય, ચંદ્રગ્રહણ બાદ તરત કરી લેજો આ કામ

ધર્મ / સુખ-સમૃદ્ધિ સાથે મળશે વિશેષ પુણ્ય, ચંદ્રગ્રહણ બાદ તરત કરી લેજો આ કામ

Shilpa Parmar

Last Updated: 04:26 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2025 : જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય, તો ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ તરત કરો આ કામ. સુખ-સમૃદ્ધિ તો મળશે જ સાથે વિશેષ પુણ્ય પણ મળશે. જાણી લો ચંદ્રગ્રહણ બાદ શું કરવું જોઈએ?

દેશમાં આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 9 વાગીને 57 મિનિટથી શરૂ થઈ મધરાત્રે 1 વાગીને 23 મિનિટ સુધી રહેશે. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી કેટલાક વિશેષ કાર્ય કરવા જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિ સાથે જ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ શું કરવું જોઈએ?

ભગવાનનું પૂજન

ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન ગ્રહોના પ્રભાવથી ઘેરાયેલા હોય છે. તેથી ભજન-કીર્તન કરવું અનિવાર્ય છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી ભગવાનનું પૂજન-અર્ચન કરવું જોઈએ. જો ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂર્ણ થાય, તો ઘરના મંદિર કે પૂજાગૃહમાં ભગવાનની આરાધના કરવી જોઈએ.

દાન આપવું

ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો દાન આપવું જોઈએ. દાન કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને મનની દરેક ઈચ્છા પૂરી કરે છે. દાનમાં વસ્ત્ર, અનાજ અને આભૂષણ આપવાથી અલગ-અલગ ફળ મળે છે.

chandra-grahan

ચંદ્રદોષ હોય તો આટલું કરો

જો તમારી કુંડળીમાં ચંદ્રદોષ છે તો ચાંદીના આભૂષણ કે સિક્કાનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારો ચંદ્ર ગ્રહ મજબૂત બને છે. તેનાથી માનસિક તણાવ દૂર થાય છે.

સફેદ વસ્તુઓનું દાન

ચંદ્રનો રંગ સફેદ છે, તેથી સફેદ વસ્તુઓનું દાન કરવું જરૂરી માનવામાં આવે છે. જે કોઈ વસ્તુ કે સામાન દાન કરવો હોય, તેને ગ્રહણ શરૂ થાય તે પહેલાં સ્પર્શ કરી રાખવો જોઈએ અને ગ્રહણ પૂરુ થયા બાદ દાન આપવું જોઈએ.

અનાજનું દાન

ચંદ્રગ્રહણ દરમિયાન અનાજનું દાન કરવું પણ અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યું છે. ઘઉં હોય કે ચોખા, મગની દાળ કે અન્ય ખાદ્ય સામગ્રી, બધું જ દાન કરી શકાય છે. પૌરાણિક માન્યતા મુજબ અન્નદાન કરવાથી તમારા ઘરમાં તિજોરી ક્યારેય ખાલી નથી થતી.

વધુ વાંચો: ગ્રહણ કાળમાં સેક્સ સંબંધ બાંધશો તો બનશે આ ખૌફનાક ઘટના, જાણો શું કહે છે શાસ્ત્ર

આ ચંદ્રગ્રહણ સાથે જ પિતૃપક્ષની શરૂઆત થઈ રહી છે. આવા સમયમાં પોતાના પિતૃઓની આત્મશાંતિ માટે ગાયનું દૂધ, ગંગાજળ, કાળા તલ અને જવ વગેરેનું દાન કરી શકાય છે. આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ તમને આશીર્વાદ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan 2025 Donation during Lunar Eclipse Astrology
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ