બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:20 PM, 7 September 2025
ચંદ્રગ્રહણ માત્ર એક આકાશીય ઘટના નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓમાં તેને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર તથા સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે. આ કારણે જ આ સમયગાળા દરમિયાન અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમ કે ખોરાકનો ત્યાગ, પૂજા બંધ રાખવી અને શારીરિક સંબંધો ટાળવા. લોકો આજે પણ આ પરંપરાઓને શ્રદ્ધાપૂર્વક અનુસરે છે.
ADVERTISEMENT

વર્ષ 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે જોવા મળશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સ્પષ્ટ દેખાશે. આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ ૩ કલાક ૩૦ મિનિટનો રહેશે, જ્યારે પૂર્ણ ગ્રહણનો તબક્કો રાત્રે 11:01 વાગ્યે શરૂ થઈને 12:23 વાગ્યા સુધી ચાલશે. એટલે કે લગભગ 1 કલાક 22 મિનિટ સુધી ચંદ્ર સંપૂર્ણ ગ્રહિત સ્થિતિમાં રહેશે. વિશેષ વાત એ છે કે આ ગ્રહણ પિતૃ પક્ષ શરૂ થવાને પહેલાં આવશે, જેના કારણે તેનો ધાર્મિક અને જ્યોતિષીય અર્થ વધુ વધી જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, ગ્રહણ દરમિયાન “સૂતક” કાળ માનવામાં આવે છે. સૂતક દરમિયાન પર્યાવરણમાં નકારાત્મક ઉર્જા અને અશુદ્ધિઓ વધે છે એવું માનવામાં આવે છે. આ કારણે આ સમયગાળા દરમિયાન ખોરાક બનાવવો, પૂજા કરવી કે કોઈ પણ પવિત્ર કાર્ય કરવું અશુભ ગણાય છે. ઉપરાંત, શારીરિક સંબંધો ટાળવા પણ ધાર્મિક ગ્રંથોમાં સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે આ સમય વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ગ્રહણની નકારાત્મક અસર ગર્ભસ્થ શિશુ પર પડી શકે છે.

ADVERTISEMENT
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, ચંદ્રગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, ત્યારે ગ્રહણ બને છે. વૈજ્ઞાનિકો માને છે કે ચંદ્ર કે સૂર્યગ્રહણનો માનવ શરીર કે આરોગ્ય પર કોઈ નકારાત્મક પ્રભાવ પડતો નથી. આ કારણે ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધો બનાવવા કે ખોરાક લેવાના મામલામાં કોઈ વૈજ્ઞાનિક પ્રતિબંધ નથી.
ADVERTISEMENT
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.