બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે ચંદ્રગ્રહણ : ખાસ ધ્યાન રાખજો શું કરવું અને શું ના કરવું, નહીંતર ખૂબ પસ્તાવો થશે

ધર્મ / આજે ચંદ્રગ્રહણ : ખાસ ધ્યાન રાખજો શું કરવું અને શું ના કરવું, નહીંતર ખૂબ પસ્તાવો થશે

Shilpa Parmar

Last Updated: 08:50 AM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2025 : આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગી રહ્યું છે અને ભારતમાંથી સ્પષ્ટ રીતે જોવા મળશે.જાણી લો તેના દોષપ્રભાવથી બચવા માટે ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ આજે એટકે કે 7 સપ્ટેમ્બરે લાગી રહ્યું છે. જેટલું તેનું ખગોળશાસ્ત્રીય મહત્વ છે એટલું જ તેનું જ્યોતિષ અને ધાર્મિક મહત્વ પણ છે. હિંદુ ધર્મમાં ગ્રહણ દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ કરવામાં આવી છે.

આજે ભાદરવા પૂર્ણિમાના દિવસે લાગતું આ ચંદ્રગ્રહણ અને તેના સૂતક કાળ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. જેના કારણે ગ્રહણનો ખરાબ પ્રભાવ તમારા પર નહીં પડે.

Chandra-Grahan-vtv

આજના ચંદ્રગ્રહણનો સમય

આજનું ચંદ્રગ્રહણ રાત્રે 9 વાગીને 58 મિનિટથી લઈને રાત્રે 1 વાગ્યાને 26 મિનિટ સુધી રહેશે. એટલે કે, આ ગ્રહણ આશરે 3.30 કલાક ચાલશે. જયારે ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા એટલે કે બપોરે 12 વાગ્યાને 58 મિનિટથી જ શરૂ થઈ જશે.

ચંદ્રગ્રહણના દિવસે શું કરવું?

ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના દોષપ્રભાવથી બચવા માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી લાભ થાય છે.

  • સૂતક કાળ શરૂ થાય તે પહેલાં જ ખોરાક અને પાણીમાં તુલસીના પાન નાખી દો, જેથી એ બગડે નહીં.
  • ગ્રહણ દરમિયાન ભગવાનનું સ્મરણ કરવું, મંત્રજાપ કરવો.
  • ગ્રહણ બાદ અવશ્ય સ્નાન કરવું અને ગરીબોને દાન કરવું. ચંદ્રગ્રહણના દિવસે ચોખા, દૂધ, ઘી, સફેદ વસ્ત્ર અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે.
  • ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરમાં ગંગાજળ છાંટવું.
chandra-grahan

ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું?

ધર્મશાસ્ત્ર મુજબ, ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થતી હોય છે અને વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. એટલા માટે આ સમયમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ છે.

  • સૂતક કાળ શરૂ થતા જ મંદિરોના દ્વાર બંધ કરી દેવા જોઈએ અને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો નહીં.
  • તુલસીના છોડને પણ સૂતક દરમિયાન સ્પર્શ કરવો નહીં. ગ્રહણ પૂરુ થયા પછી સ્નાન કરીને ભગવાન અને તુલસીનો સ્પર્શ કરવો.
  • ગ્રહણના દિવસે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું. કોઈ સાથે ઝઘડો કે તર્ક કરવો નહીં.
  • આ દિવસે પૈસાનો વ્યવહાર કરવાનું ટાળવું.
  • ગ્રહણ દરમિયાન દાંપત્ય સંબંધ બનાવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
  • ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું. શક્ય હોય તો બહાર ન નીકળવું જેથી નકારાત્મકતાથી બચી શકાય.
  • ધારદાર હથિયારો કે તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

વધુ વાંચો : ચંદ્ર ગ્રહણ 8 રાશિના લોકો માટે અશુભ, રવિવારની રાત્રે ઘરની બહાર નીકળતા જ નહીં

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan 2025 Sutak Kaal time Astrology
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ