બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:03 AM, 27 August 2025
શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ હવે ભક્તિ અને ઉત્સાહનો પર્વ ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે.ભક્તો પોતાના ઘરો તેમજ પંડાલોમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરશે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બર, શનિવારે, અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે.
ADVERTISEMENT

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આજે સ્થાપન માટે કેટલીક ખાસ વિધિ કરવી જરૂરી છે. સૌપ્રથમ પૂજાનું સ્થાન સ્વચ્છ રાખવું અને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ શુભ મુહૂર્ત દરમિયાન મૂર્તિને પાટલા કે આસન પર સ્થાપિત કરવી. આસપાસ દીવો, ફૂલો અને અન્ય પૂજા સામગ્રી ગોઠવી દેવી. મંત્રોચ્ચાર સાથે ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને ત્યારબાદ ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરવો. ગણપતિજીને મોદકનો ભોગ ધરાવવો અને દુર્વા અર્પણ કરીને આરતી ઉતારવી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગણેશજીનું વિસર્જન 6 સપ્ટેમ્બર, શનિવારે અનંત ચતુર્દશીના દિવસે થશે. વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી ઉતારવી, મોદકનો ભોગ ધરાવવો અને તેમની ક્ષમા માંગવી. પ્રાર્થના કરવી કે બાપ્પા ફરી આગલા વર્ષે પધારે. ત્યારબાદ મૂર્તિને સન્માનપૂર્વક નદી, તળાવ કે પાણીમાં વિસર્જિત કરવી. પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સરસ ગામે રામાયણ કાળનું ભોળાનાથનું મંદિર, ગોકર્ણ ઋષિના તપથી પ્રગટ્યું સ્વયંભૂ શિવલિંગ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ જ નહીં પરંતુ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો ઉત્સવ છે. આ પર્વ સમગ્ર સમાજને એકતા અને ઉત્સાહથી ભરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.