બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વાત્રકના કિનારે છે 73 ફૂટ ઉંચુ ગણપતિનું આ મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયકથી લવાઇ છે અખંડ જ્યોત

દેવ દર્શન / વાત્રકના કિનારે છે 73 ફૂટ ઉંચુ ગણપતિનું આ મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયકથી લવાઇ છે અખંડ જ્યોત

Last Updated: 06:30 AM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક ગણપતિજીનુ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ જેટલી છે

અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક ગણપતિજીનુ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ આ મંદિરે સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈ દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઇએ તેમજ તે સ્થળે સફેદ આકડો હોવો જરૂરી છે. એટલે જ મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે મંદિરને નિયમો મુજબ બનાવવામાં આવ્યુ છે.

5

નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને જાપાન સહિત અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. મંદિરને પાંચ માળમાં બનાવવામાં આવેલુ છે. મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા કરવામાં આવી છે. અને સત્સંગ માટે ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે.દેશના સૌથી મોટા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને મહેમદાવાદના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવી ધન્ય બને છે.

4

દર મંગળવારે દાદાના મંદિરે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 2011માં મંદિરનું ભૂમિપૂજન કરી આશરે રૂ. 14 કરોડના ખર્ચે મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે.સિદ્ધિવિનાયક ગણેશજીના મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ફક્ત જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર મંદિર ઉભુ કરવામાં આવ્યુ છે.

સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અન્ય પણ આકર્ષણો છે. પરિસરમાં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થાન, ભોજનાલય અને કાફેટેરિયાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે. મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર દણપતિજીનુ મંદિર છે જેના સૌથી ઉપરના માળે ગણપતિજી બિરાજમાન છે, ભાવિકોને દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે.

2

મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં ભાવિકો દૂર દૂરથી પોતાની મનોકામના સાથે દર્શન કરવા આવે છે. મંગળવારે અને ચોથના દિવસે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે દાદાના દર્શને આવી ધન્ય થાય છે. ભગવાન ગણેશજીના દર્શન કરી મંદિર પરિસરમાં સતત વાગતી શ્રી ગણેશજીની ધૂન શાંતિ સાથે દૈવિક દિવ્યતાનો અનુભવ કરાવે છે.

સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહિલાઓ પોતાની માનતા માટે મંદિરે ઘઉંના દાણાથી ઉંધો સાથિયો બનાવે છે અને ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરે છે અને તે માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવી દર્શન કરી તે જ ઘઉંના દાણાથી સીધો સાથિયો બનાવી બાધા માનતા પૂર્ણ કરે છે.

1

આ પણ વાંચોઃ ઘરે ગણપતિના વિસર્જન દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલો, જાણો બાપ્પાની વિદાય વિધિ

ભગવાન સિદ્ધિવિનાયકનુ પવિત્ર મંદિર સેલ્ફી શોખીનો માટે પણ વિશેષ છે કારણ કે મંદિરના આગળના ભાગે મૂષક અને હાથીની હૂબહૂ પ્રતિમા બનાવવામાં આવેલી છે. બગીચાના શાંત વાતાવરણમાં આવેલી આ પ્રતિમાઓ સાથે ભક્તો પોતાના બાળકો પરિજનો મિત્રોની સેલ્ફી લઈ દર્શન સાથે પોતાની યાદો કેદ કરી લઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Siddhi Vinayak Ganpati Akhand Jyot Famous Ganesh Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ