ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / CR PATIL MEET NARESH PATEL AGAIN IN KHODALDHAM
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એકવાર સી.આર પાટીલે નરેશ પટેલ સાથે મુલાકાત કરી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રવિવારે ખોડલધામ ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ આજે તેઓ ભોજન લીધા બાદ નરેશ પટેલને મળવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ટૂંકાગાળામાં આ બીજી મુલાકાત
ADVERTISEMENT
મહત્વનુ છે કે 20 નવેમ્બરના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે હતા. આ દિવસે પણ સી.આર પાટીલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે જઇને મુલાકાત કરી હતી. બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. જેમાં પાટીદાર સંસ્થાઓની માંગણી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે વાત થઈ હતી. રાજકીય રીતે સૂચક ગણાતી આ બેઠકમાં પાટીલે નરેશ પટેલને કેસો પરત ખેંચવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાની વાત કહી છે તેવી માહિતી મળી હતી.
સી.આર.પાટીલે ખોડલધામની લીધી મુલાકાત
ADVERTISEMENT
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 2જી જાન્યુઆરીએ ખોડલધામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે નરેશ પટેલ સાથે ખોડલધામમાં યોજાનાર પાટોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સુરતના ગોપાલભાઇ ચમારડી દ્વારા અમરેલીના બાબરાથી ખોડલધામ સુધી કાઢવામાં આવેલી પદયાત્રાનું પણ સ્વાગત કર્યું હતું.અહીં સી.આર.પાટીલની મુલાકાત દરમિયાન અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મનસુખ ખાચરિયા સહિત ભાજપના આગેવાનોએ પણ હાજરી આપી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચમારડીથી ખોડલધામ પદયાત્રાનું લીલાખામાં સ્વાગત કરાયું હતું.
પંચમ પાટોત્સવની ઉજવણીનો ધમધમાટ
ADVERTISEMENT
ખોડલધામના નરેશ પટેલ હાલ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. ખોડલધામ કાગવડને પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી ૨૧ જાન્યૂઆરી ૨૦૨૨ના રોજ યોજાનાર પંચમ પાટોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ