ન્યૂઝ અપડેટ્સ
VTV / coronavirus lockdown tablighi jamaat markaz foreign muslims jamaati case registered ranchi police jharkhand crime news
Last Updated: 08:41 AM, 10 April 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તબલીગી જમાતના મરકજના જલસા ભાગ લીધા બાદ તેઓ રાંચી પહોંચનારા વિદેશી જમાતીઓ પર કડક પગલા ભરવામાં આવશે. ઝારખંડની રાજધાની રાંચીની પોલીસે તબલીદી જમાત સાથે જોડાયેલા 18 લોકોની વિરુધ્ઘ ફરિયાદ દાખલ કરી છે. આ વિદેશી નાગરિકોની સામે હિંદપીઢી પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ વિદેશીઓ રાંચીના હિંદપીઢી સ્થિત 2 મસ્જિદોમાંથી મળી આવ્યા હતા. તેમને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. આમાં એક મલેશિયન યુવતી પણ પોઝિટિવ આવી છે. આ વિદેશીઓ પર વિઝા નિયમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને લોકડાઉનના નિયમોના ભંગના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ વિદેશી નાગરિકો પર ટુરિસ્ટ વિઝા પર ભારત આવી કાયદાનો ભંગ કરી ધર્મ પ્રચાર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશમાં તબલીગી જમાતને લીધે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો