બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:49 PM, 7 September 2025
આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે 7 સપ્ટેમ્બરે થશે. ચંદ્રગ્રહણથ પિતૃ પક્ષની શરૂઆત થઈ રહ્યું છે, જે એક દુર્લભ સંયોગ છે. ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યાથી 1:26 વાગ્યા સુધી રહેશે. જેનો સ્પર્શકાળ રાત્રે 11:09 વાગ્યે શરૂ થશે, આ ગ્રહણનો મધ્યકાળ રાત્રે 11:42 વાગ્યે હશે, તેનો મોક્ષકાળ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે. ચંદ્રગ્રહણ 3 કલાક 29 મિનિટ રહેશે. આ ગ્રહણના 9 કલાક પહેલા સૂતકકાળ શરૂ થાય છે, ચંદ્રગ્રહણનો સૂતકકાળ બપોરે 12:57 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ ગયો છે. આ સૂતક કાળ ચંદ્રગ્રહણના અંત સાથે પૂરો થશે. ચંદ્રગ્રહણ આજે રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 1:26 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવું જોઈએ તથા કોઈપણ શુભ કાર્ય કરવાથી પણ બચવું જોઈએ.
ADVERTISEMENT
ચંદ્રગ્રહણના મોક્ષકાળ દરમિયાન દૂધ, અન્ન, ફળો અને સફેદ વસ્તુઓનું દાન કરો. આ ઉપરાંત ગ્રહણના બીજા દિવસે મંદિરમાં જઈને પૂજારીઓને દાન દક્ષિણા આપો.
ADVERTISEMENT
સૂતક કાળ બપોરે 12.57 વાગ્યે શરૂ થયો છે. સૂતક કાળ શરૂ થાય તે પહેલાં ત્રણ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા જોઈએ. ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક વિધિઓ કરવામાં નહીં આવે. આથી પૂર્ણિમા તિથિએ પૂજા-પાઠ અને શ્રાદ્ધ, પિંડદાન કરવા. સૂતક કાળ શરૂ થાય તે પહેલાં તુલસીના પાન તોડીને રાખવ, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કરી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક ઉપાયો ખૂબ અસરકારક મનાય છે. ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન મંત્રોચ્ચાર, સ્તુતિ અથવા ધ્યાન કરવાને શ્રેષ્ઠ મનાય છે. આ દરમિયાન મંત્ર સાધના અથવા પ્રાર્થના અસરકારક સાબિત થાય છે. જો તમે કોઈ મંત્રને સિદ્ધ કરવા માંગતા હોવ અથવા દીક્ષા લેવા માંગતા હોવ તો તે પણ ગ્રહણ સમયગાળા દરમિયાન શુભ મનાય છે.
ચંદ્રગ્રહણનો સૂતક કાળ બપોરે 12.57 વાગ્યે શરૂ થશે. પરંતુ આ સૂતક ત્રણ લોકો માટે લાગુ પડશે નહીં. જેમાં બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને સમાવેશ થાય છે. આ સૂતકમાં ખાસ છૂટ રહેશે. તેમનો સૂતક 7 સપ્ટેમ્બરે સાંજે 6:35 પર શરૂ થશે અને ગ્રહણ સાથે સૂતક સમાપ્ત થઈ જશે.
આ ચંદ્રગ્રહણને કારણે પશ્ચિમી અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની શક્યતા છે. પાકિસ્તાનમાં પણ અરાજકતા ફેલાઈ શકે છે. કુદરતી આફતો જોવા મળી શકે છે. વિમાન અને આગ સંબંધિત દુર્ઘટના થઈ શકે છે. ધાર્મિક અને વ્યાપારિક મોરચે નુકસાન થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.