ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:57 PM, 6 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
જસપ્રીત બૂમરાહ ઇજાને કારણે ટી20 વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે અને આ જ કારણે તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે. ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું છે કે બૂમરાહ માત્ર IPLમાં જ રમે છે, ટીમ ઈન્ડિયા માટે નહીં. હવે બૂમરાહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
બૂમરાહે આપ્યો જવાબ
જસપ્રીત બૂમરાહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે તમે પોતાના લક્ષ્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકો, જો તમે અટકીને એ કુતરાઓ પર પત્થર ફેંકશો, જે તમારા પર ભસી રહ્યા છે. માનવામાં આવે છે કે આ મેસેજથી તેમણે પોતાના ટ્રોલર્સને જવાબ આપ્યો છે. બૂમરાહ ઇજાગ્રસ્ત હોવાને કારણે ટી20 વર્લ્ડ કપમાં નહીં રમે.
ADVERTISEMENT
ટી20 વર્લ્ડ કપથી બહાર થવા પર બન્યા ટ્રોલર્સનો શિકાર
જસપ્રીત બૂમરાહ ટી20 વર્લ્ડ કપથી બહાર થવા પર ટ્રોલ થવા લાગ્યા છે. ગયા થોડા સમયથી તેઓ ઇજાગ્રસ્ત છે. ઇજાને કારણે તેઓ એશિયા કપ 2022માં પણ ટીમનો હિસ્સો ન હતા. તેમણે ભારત માટે 60 ટી20 મેચોમાં 70 વિકેટ લીધી છે.
.jpg)
ADVERTISEMENT
આ ખેલાડી લઈ શકે છે બૂમરાહની જગ્યા
ઓસ્ટ્રેલીયામાં થનારા ટી20 વર્લ્ડ કપમાં જસપ્રીત બૂમરાહની જગ્યા દીપક ચાહર અથવા મોહમ્મદ શમી લઈ શકે છે. શમી પાસે ઓસ્ટ્રેલીયામાં રમવાનો અનુભવ પણ છે અને તેઓ પાવર પ્લેમાં શાનદાર બોલિંગ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ