બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Bollywood Celebrities Express their anger by twitter post on Cutting trees at aarey

બોલિવૂડ / આરે કોલોનીમાં ઝાડ કાપવાના મુદ્દે ભડક્યા સેલેબ્સ, બોલિવૂડે આપી પ્રતિક્રિયા

Published By: Bhushita

Last Updated: 10:13 AM, 5 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં આરે કોલોનીમાં શુક્રવારે મોડી સાંજે ઝાડ કાપવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનો મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો. મેટ્રો રેલ સાઈટ પર નારા સાથે વિરોધ કરાયો તો સેલિબ્રિટિઝે પોતાના ટ્વિટર પર પોસ્ટ લખીને વિરોધ દેખાડ્યો હતો.

  • મુંબઈના આરેમાં વૃક્ષો કાપવાના મામલાને લઈને વિરોધ
  • બોલીવૂડ સ્ટાર્સ પણ ઉતર્યા મેદાનમાં 
  • ટ્વિટર પોસ્ટથી કર્યો તંત્રનો કર્યો વિરોધ 
  • દિયા મિર્ઝા, સ્વરા ભાસ્કર સહિત અનેકે નોંધાવ્યો વિરોધ 
     

બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુંબઈના હરિયાળી ભરેલા વિસ્તાર આરે કોલોનીમાં ઝાડ કાપવાના મુદ્દે વિરોધ કરનારી તમામ અરજીઓને ફગાવી દીધા બાદ શુક્રવારે ઝાડ કાપવાનું કામ શરૂ થયું હતું. લોકોના વિરોધને અવગણવામાં આવ્યા તે સમયે જ બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને વિરોધ દેખાડ્યો છે.

ફિલ્મો સિવાય સોશ્યિલ મુદ્દા પર પણ એક્ટિવ રહેનારા ફરહાન અખ્તરે લખ્યું કે 'રાતના સમયે ઝાડ કાપી દેવા એ ખોટું છે. આમ કરનારા દરેક જાણે છે કે તેઓ ખોટું કરી રહ્યા છે.'

પર્યાવરણ સાથે જોડાયેલા વિષયો પર પોતાનો મત આપનારી દિયા મિર્ઝાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ઝાડ કાપવામાં આવી રહ્યા છે. વીડિયો સાથે તેણે પૂછ્યું કે શું આ ગેરકાનૂની નથી. આ સ્થિતિ અત્યારે આરે કોલોનીની છે. કેવી રીતે તે શક્ય છે.

ડાયરેક્ટર ઓનિરે પણ ઝાડ કાપવાને લઈને એક કટાક્ષભર્યો વીડિયો શેર કર્યો છે. સાથે તેઓએ લખ્યું છે કે રાતના અંધારામાં કુહાડી અમારા પગ પર ચાલી રહી છે. રેસ્ટ ઈન પીસ આરે ફોરેસ્ટ, અમે ન બચાવી શક્યા.

સિંગર અને કમ્પોઝર વિશાલ દદલાનીએ ટ્વિટ કરીને લખ્યું કે રાતમાં આરે જંગલની હત્યા થઈ રહી છે. પીએમ મોદી, દેવેન્દ્ર ફડણવીસ પ્લીઝ આવું ન કરો. એક ફોન કરો અને આ કામ રોકાવી દો. મહેરબાની કરીને દેખાડો કે તમને અમારી ચિંતા છે. અમારા સ્વાસ્થ્ય, હવા અને ભવિષ્યની ચિંતા કરો છો.

એકટ્રેસ સ્વરા ભાસ્કરે લખ્યું છે કે અને આ શરૂ થઈ ગયું. આરે ફોરેસ્ટ- આરે કોલોની નષ્ટ થઈ રહી છે.

ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વિટ કરી કે અમે આરે જંગલમાં 3000 ઝાડને ખતમ કરવાના નિર્ણય માટે શોક વ્યક્ત કરીએ છીએ. દરેક લોકો માટે આ દુઃખદ દિવસ હશે જેઓ ઝાડને પોતાના જીવનનો ભાગ માને છે. જે ઝાડને ભગવાન માને છે. મુંબઈના વિનાશની કિંમત ચુકવશે અને અમે નિરાધાર થઈશું.

સંકળાયેલા મુદ્દાઓ

Aarey colony Bollywood Mumbai celebrities tweets આરે કોલોની બોલિવૂૂડ સ્ટાર્સે કર્યો વિરોધ Bollywood reactions on Aarey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ