બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / હું મારી મર્યાદા ભૂલી ગયો, બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલ્યો, હું દિલથી માફી માંગુ છું: અનુરાગ કશ્યપ

નેશનલ / હું મારી મર્યાદા ભૂલી ગયો, બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલ્યો, હું દિલથી માફી માંગુ છું: અનુરાગ કશ્યપ

Priykant Shrimali

Last Updated: 02:12 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anurag Kashyap Brahmin Controversy : તાજેતરમાં અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાય વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેના પછી તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો, જે બાદમાં હવે તેમણે એક પોસ્ટ દ્વારા માફી માંગી છે, જાણો શું કહ્યું ?

Anurag Kashyap Brahmin Controversy : ફિલ્મ નિર્માતા-અભિનેતા અનુરાગ કશ્યપને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હાલ વિવાદમાં ઘેરાયેલ અનુરાગ કશ્યપે માફી માંગી છે. તાજેતરમાં તેમણે બ્રાહ્મણ સમુદાય વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેના પછી તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે અનુરાગ કશ્યપે માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને માફી માંગી.

અનુરાગ કશ્યપે માફી માંગી

અનુરાગ કશ્યપે લખ્યું, ગુસ્સામાં કોઈને જવાબ આપતી વખતે હું મારી મર્યાદા ભૂલી ગયો. અને સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલી નાખ્યું. તે સમાજ જેના ઘણા લોકો મારા જીવનમાં રહ્યા છે, હજુ પણ છે અને ઘણું યોગદાન આપે છે. આજે તે બધા મારાથી દુઃખી છે. ઘણા બૌદ્ધિકો જેમનો હું આદર કરું છું, તેઓ મારા ગુસ્સામાં બોલવાની રીતથી દુઃખી થયા છે. આવું કહીને હું પોતે જ વિષયથી ભટકી ગયો.

આ સાથે અનુરાગે આગળ લખ્યું, હું મારા હૃદયના ઊંડાણથી માફી માંગુ છું. હું આ સમાજને આ કહેવા માંગતો ન હતો પણ ગુસ્સામાં મેં કોઈની ખરાબ ટિપ્પણીનો જવાબ આપતી વખતે આ લખ્યું. માફ કરશો. મારા બધા સાથી મિત્રો તરફથી, મારા પરિવાર તરફથી અને ઉફાસ સમુદાય તરફથી મારા પરિવાર તરફથી અને તે સમુદાય તરફથી મારી બોલવાની રીત અને અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ. હવે હું તેના પર કામ કરીશ જેથી આવું ફરી ન બને. હું મારા ગુસ્સા પર કામ કરીશ. અને જો મારે આ મુદ્દા વિશે વાત કરવી પડશે, તો હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીશ. મને આશા છે કે તમે મને માફ કરશો.

હવે જાણો શું છે સમગ્ર મામલો ?

તાજેતરમાં જ એક ફિલ્મ ફુલે રિલીઝ થવાની હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં કારણ કે તેમાં જાતિવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પછી અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને બ્રાહ્મણ સમુદાય અંગે સોશિયલ મીડિયા પર ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી. આ પછી અનુરાગને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. લેખક મનોજ મુન્તાશીર પણ તેમનાથી ખૂબ ગુસ્સે હતા. તેણે અનુરાગને મર્યાદામાં રહેવા કહ્યું.

વધુ વાંચો : ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજ આકરા પાણીએ, કરી નાખી મોટી માગ

અનુરાગ કશ્યપે શું લખ્યું હતું ?

અનુરાગ કશ્યપે ફિલ્મ ફુલે સાથે જોડાયેલા વિવાદ વિશે લખ્યું હતું કે, ધડક 2 ના સ્ક્રીનિંગ સમયે સેન્સર બોર્ડે કહ્યું કે, મોદીજીએ ભારતમાંથી જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે. આ જ આધારે સંતોષ પણ ભારતમાં રિલીઝ ન થઈ. હવે બ્રાહ્મણને ફૂલે સાથે સમસ્યા છે. ભાઈ જ્યારે જાતિ વ્યવસ્થા જ નથી તો પછી કયા પ્રકારના બ્રાહ્મણ ? તમે કોણ છો?

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Kashyap Brahmin Controversy Brahmin community Anurag Kashyap apology
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ