બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / સુરતના સમાચાર / BJP MLA harsh sanghvi asked congress about fress remdesivir injection
ADVERTISEMENT
રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ વિવાદ થયો છે. રેમડેસિવિરની અછત વચ્ચે ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણને લઇ સવાલો ઉઠ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે વીટીવીએ વાતચીત કરી. ત્યારે તેઓએ રોષે ભરાઇ અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ખોટા આરોપ કરી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને મફતમાં સેવા મળે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. કયા કોંગ્રેસના નેતાએ હોસ્પિટલ બનાવી છે. ભાજપના નેતાઓ પોતાની ફરજ સમજીને લોકોની સેવા કરે છે. અને લોકોને ઈન્જેક્શન મફતમાં મળે તો તે પાપ કહેવાય?. દિલ્લીમાં મફત સેવા આપતી આપ સરકાર અહી કેમ મફતમાં સેવા નથી આપતી?. અમિત ચાવડાએ કયા લોકોને ઈન્જેક્શન મફતમાં આપ્યા છે?. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ રાજનીતિના સ્તર કરતા પણ નીચે ઉતરી ગઈ છે. આટલુ કહેતા કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં ભીનાશ તરી આવી હતી.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5011 કેસ નોંધાયા છે અને 2525 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,12,151 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
આજે 49 દર્દીઓના મોતથી ખળભળાટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 49 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4746 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 192 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 25,129 પર પહોંચ્યો છે.

ADVERTISEMENT
અમદાવાદ ભગવાન ભરોસે
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ પહોંચ્યો હતો. પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 5011 કેસ નોંધાયા છે. તો અમદાવાદ કોર્પોરેશનમાં 14 અને ગ્રામમાં 2 લોકોના મોત કોરોનાથી થયા છે. આમ કહીએ તો અમદાવાદ ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1409 કેસ અને ગ્રામ્યમાં 31 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 913 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 239 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 287 કેસ, જ્યારે ગ્રામ્યમાં 158 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 462 કેસ અને ગ્રામ્યમાં 67 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

પાટણ જિલ્લામાં કોરોના કહેર
પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને બીજી લહેરમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાયું છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહમાં કોરોનાના 800થી વધુ કેસ નોંધાયા અને હાલ હોસ્પિટલમાં 679 દર્દીઓ સારવાર હેઠળ છે. ધારપુર હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં પાનના ગલ્લા કરાયા બંધ
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા બંધ કરાવતી હોય છે.
ગલ્લા ખોલનાર સામે કાર્યવાહી કરશે મનપા
ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.