બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bjp full focus on half the population 2 lakh women will attend modi rally in prayagraj

ચૂંટણી ઈફેક્ટ / અડધી વસ્તી પર ભાજપનું ફોકસ, પ્રયાગરાજમાં મોદીની રેલીમાં જોડાશે 2 લાખ મહિલાઓ

Published By: Dharmishtha

Last Updated: 12:09 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત દિવસોમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી રાજ્યની મુલાકાતની સંખ્યામાં વધારો થયો છે. પીએમ મોદી મંગળવારે પ્રયાગરાજ આવવાના છે. જાણો લાહણીમાં કોને શું આપશે પીએમ મોદી.

  • ચૂંટણી થવાની હોઈ નરેન્દ્ર મોદીની ચૂંટણી યુપીની મુલાકાતની સંખ્યામાં વધારો
  • બેંક ખાતામાં 1000 કરોડ રુપિયાની રકમ હસ્તાંતરિત 
  •  કાર્યક્રમમાં બિઝનેસ કોરેસ્પોન્ડર સખીઓને પ્રોત્સાહિત કરશે

ચૂંટણી થવાની હોઈ નરેન્દ્ર મોદીની ચૂંટણી યુપીની મુલાકાતની સંખ્યામાં વધારો

ઉત્તર પ્રદેશમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી આવવાની છે. ગત દિવસોમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી રાજ્યની મુલાકાતની સંખ્યામાં વધારો થયો છે. પીએમ મોદી મંગળવારે પ્રયાગરાજ આવવાના છે. આ કાર્યક્રમમાં બપોરે લગભગ એક વાગે લગભગ 2 લાખથી વધારે મહિલાઓ સામેલ થશે. પીએમઓ અનુસાર મહિલાઓની જરુર કૌશલ પ્રોત્સાહન અને સંસાધન પ્રદાન કરવા, વિશેષ રુપમાં જમીની સ્તર પર મહિલાઓને સશક્ત બનાવવા માટે પીએમના દષ્ટિકોણ અનુસાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

બેંક ખાતામાં 1000 કરોડ રુપિયાની રકમ હસ્તાંતરિત 

પીએમઓએ જણાવ્યું કે મહિલાઓને સમર્થન આપવાના પ્રયાસમાં પીએમ સ્વયં સહાયતા ગ્રુપ(એસએચજી)ને બેંક ખાતામાં 1000 કરોડ રુપિયાની રકમ હસ્તાંતરિત કરશે. જેનાથી એસએચજી લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ થશે.  નિવેદન મુજબ આ ટ્રાન્સફર દીનદયાલ અત્યોંદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કરવામાં આવશે. જેમાં 80,000 એસએચજી પ્રતિ એસએચજી 1.10 લાખ રુપિયા સીઆઈએફ મેળવી રહ્યા છે અને 60,000 એસએચજી પ્રતિ એસએચજી 15000 રુપિયા રિવાલ્વિંગ ફંડ પ્રાપ્ત કરી રહ્યા છે.

 

કાર્યક્રમમાં બિઝનેસ કોરેસ્પોન્ડર સખીઓને પ્રોત્સાહિત કરશે

પીએમઓએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં બિઝનેસ કોરેસ્પોન્ડર સખીઓને પ્રોત્સાહિત કરશે. પીએમ 20,000 મહિલાઓના ખાતામાં પહેલા મહિને વજીફેના રુપમાં 4000 રુપિયા ટ્રાન્સફર કરશે.

1 લાખથી વધારે લાભાર્થીઓને કુલ 20 કરોડ રુપિયાથી વધારે રકમ પણ ટ્રાન્સફર કરશે

પીએમઓ મુજબ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સીએમ કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખથી વધારે લાભાર્થીઓને કુલ 20 કરોડ રુપિયાથી વધારે રકમ પણ ટ્રાન્સફર કરશે. પીએમઓએ કહ્યું કે આ યોજના એક બાલિકાના જીવને વિભિન્ન સ્તર પર સશર્ત રોકડ હસ્તાંતરણ પ્રદાન કરે છે. આ અંતર્ગત 15000 રુપિયા આપવામાં આવશે.

 પીએમ 202 પૂરક પોષાહાર નિર્માણ એકમનો શિલાન્યાસ કરશે

પીએમે જણાવ્યું કે જન્મના સમયે 2000 રુપિયા, એક વર્ષના રસીકરણ પૂરુ કરવા પર 1 હજાર, ધોરણ I માં પ્રવેશ પર 2000 રુપિયા, ધોરણ VIમાં પ્રવેશ પર 2000 રુપિયા, ધોરણ IXમાં પ્રવેશ પર 3000 રુપિયા, 10માં અને 12માં ધોરણ પાસ કરવા પર 5000 રુપિયા આપવામાં આવે છે. સાથે જણાવવામાં આવ્યું કે પીએમ 202 પૂરક પોષાહાર નિર્માણ એકમનો શિલાન્યાસ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Prayagraj modi rally uttar pradesh ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ ભાજપ Big News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ