બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / શ્રીલંકા ટ્રાઈ-સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર,રિયાન પરાગને બદલે આ અનુભવી ખેલાડી લેવાયો
Last Updated: 06:47 PM, 31 May 2026
શ્રીલંકામાં યોજાનાર ટ્રાઈ સીરીઝ પહેલા ઇન્ડિયા A ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઈજાગ્રસ્ત રિયાન પરાગ હવે આ ટૂરનો ભાગ રહેશે નહીં. તેના સ્થાને અનુભવી બેટ્સમેન રુતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને ટીમમાં સામેલ કર્યો છે. સાથે તેમને ટીમના વાઈસ-કેપ્ટન પણ બનાવ્યો છે. ઇન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ટ્રાઈ સીરીઝ 9 જૂનથી શ્રીલંકામાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને યુવા પ્લેયર્સ માટે પોતાને સાબિત કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ માનવામાં આવે છે.
ADVERTISEMENT
🚨 News 🚨
— BCCI (@BCCI) May 31, 2026
Ruturaj Gaikwad added to India A squad for tri-series in Sri Lanka as a replacement for injured Riyan Parag.
Details 🔽 https://t.co/COTmObu7Sg
પહેલા રિયાન પરાગને આ પ્રવાસ માટે ટીમના વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. ઈજા છતાં પરાગે સિઝનની ટીમની અંતિમ મેચોમાં ભાગ લીધો હતો પરંતુ હવે મેડીકલ ટીમની સલાહ મુજબ તેને આરામ અને રીહેબીલીટેશનની જરૂર છે.
ADVERTISEMENT

આથી જ પરાગ શ્રીલંકાનો પ્રવાસ કરી શકશે નહીં. તેના સ્થાને રુતુરાજ ગાયકવાડને મોકો આપવામાં આવ્યો છે. જેમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં સતત સારું પ્રદર્શન કરનાર ગાયકવાડ હવે ઇન્ડિયા A ટીમમાં વાઈસ કેપ્ટન બનશે. પરાગ હાલમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાની ફિટનેસ પર કામ કરશે જ્યાં તેમની રિકવરી અને રીહેબીલીટેશન ચાલુ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ-કેપ્ટન), પ્રિયંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન અનુકુલ રોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.