ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેરાવળમાં 37 કિલો ભાખરવડીમાંથી બન્યા 5 ફૂટના ગણપતિ બાપા, યુવક મંડળની અનોખી પહેલે સૌનું ધ્યાન ખેંચ્યું
Last Updated: 03:13 PM, 17 September 2026
ADVERTISEMENT
ગણપતિ મહોત્સવ દરમિયાન લોકો અલગ-અલગ રીતે બાપાની ભક્તિ કરતા હોય છે, ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં એક અનોખો પ્રયાસ જોવા મળ્યો છે. વેરાવળની ભાવના સોસાયટીમાં યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની એવી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જે ભક્તિની સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપી રહી છે. યુવક મંડળે ભાખરવડીમાંથી ગણપતિજીની 5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. અંદાજે 37 કિલો ભાખરવડીમાંથી તૈયાર કરવામાં આવેલી આ અનોખી ગણપતિજીની મૂર્તિ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાવના સોસાયટીના યુવક મંડળના 20 જેટલા યુવાઓએ રાત-દિવસ મહેનત કરીને આ અનોખી મૂર્તિ તૈયાર કરી છે. યુવાઓએ સતત 7 દિવસ સુધી મહેનત કરી અને અંદાજે 37 કિલો ભાખરવડીની મદદથી 5 ફૂટ ઊંચી ગણપતિજીની પ્રતિમા તૈયાર કરી છે. સામાન્ય રીતે ગણપતિજીની અલગ-અલગ સામગ્રીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે, પરંતુ ભાખરવડીમાંથી આટલી મોટી મૂર્તિ તૈયાર કરવાનો પ્રયાસ લોકોને પણ ખાસ લાગી રહ્યો છે. મૂર્તિ જોવા માટે ભાવના સોસાયટીમાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ ગણપતિજીની મૂર્તિની ખાસ વાત એ છે કે તેના વિસર્જન બાદ પણ તેનો ઉપયોગ થઈ શકશે. ભાખરવડીમાંથી તૈયાર કરવામાં આવેલી આ મૂર્તિનું વિસર્જન કર્યા પછી જળચર જીવોને પણ ખોરાક મળી શકશે. એટલે કે ગણપતિ બાપાની ભક્તિ સાથે પર્યાવરણ અને જળચર જીવો માટે પણ એક સારો સંદેશ આપવામાં આવ્યો છે. યુવક મંડળના આ પ્રયાસથી ગણપતિ મહોત્સવમાં ભક્તિની સાથે કંઈક અલગ અને ઉપયોગી કરવાની વિચારસરણી પણ સામે આવી છે.
ગીર સોમનાથની ભાવના સોસાયટીના યુવક મંડળની અનોખી પહેલ, મૂર્તિ બનાવવામાં લાગ્યો 7 દિવસનો સમય
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 17, 2026
(ગીર સોમનાથના વેરાવળમાં ગણપતિ બાપાની ભક્તિ સાથે પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો. વેરાવળની ભાવના સોસાયટીમાં યુવક મંડળે ભાખરવડીમાંથી 5 ફૂટ ઊંચી ગણપતિજીની પ્રતિમા તૈયાર કરી. અંદાજે… pic.twitter.com/0weaxiMrwp
ADVERTISEMENT
નોંધનીય છે કે ભાવના સોસાયટીનું યુવક મંડળ દર વર્ષે ગણપતિ બાપાની સ્થાપનામાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે યુવક મંડળે ભાખરવડીમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવી છે. અગાઉ પણ આ ગ્રુપ દ્વારા અલગ-અલગ વસ્તુઓમાંથી ગણપતિજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. અગાઉ ડ્રાયફ્રૂટ, કાજુ-બદામ, ખજૂરપાક, ટોપરાપાક અને કેડબરી સિક્કામાંથી ગણપતિજીની પ્રતિમા બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : RTEના 35 પ્રવેશ સામે સવાલ, ₹27 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના કેસ DEOને મોકલાયા
આ રીતે દર વર્ષે કંઈક અલગ કરવાની પરંપરાને આગળ વધારતા આ વખતે 20 યુવાઓએ સાથે મળીને ભાખરવડીમાંથી 5 ફૂટની ગણપતિજીની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ માત્ર ગણપતિ બાપાની ભક્તિનું પ્રતિક નથી, પરંતુ પર્યાવરણ બચાવવા અને જળચર જીવો પ્રત્યે સંવેદનશીલ રહેવાનો સંદેશ પણ આપી રહી છે. 7 દિવસની મહેનત બાદ તૈયાર થયેલી આ 37 કિલો ભાખરવડીની મૂર્તિ વેરાવળની ભાવના સોસાયટીમાં લોકો માટે ખાસ આકર્ષણ બની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો