ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RTEના 35 પ્રવેશ સામે સવાલ, ₹27 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના કેસ DEOને મોકલાયા

અમદાવાદ / RTEના 35 પ્રવેશ સામે સવાલ, ₹27 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના કેસ DEOને મોકલાયા

Published By: Nidhi Panchal

Last Updated: 02:57 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ચાર સ્વનિર્ભર શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા 35 વિદ્યાર્થીઓના કેસમાં વાલીઓની આવકને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.કેટલાક વાલીઓએ લાખો રૂપિયાની આવક દર્શાવી હોવા છતાં RTE ક્વોટા હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવતાં હવે DEO સમક્ષ સુનાવણી યોજાશે.

ADVERTISEMENT

રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ શહેરની જાણીતી શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર એક વિદ્યાર્થીનાં માતા-પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંયુક્ત રીતે રૂ. ૨૭,૧૬,૭૧૩ની આવકનું ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું હોવા છતાં આરટીઈ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના પિતાએ રૂ. ૧૨,૫૪,૪૮૫ અને માતાએ રૂ. ૧૪,૫૯,૨૩૧ની આવક દર્શાવી હતી.

RTE-2

RTE હેઠળ વાર્ષિક આવકની રૂ. છ લાખની પાત્રતા મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા વાલીઓના ૩૫ જેટલા કેસ અમદાવાદની ચાર સ્વનિર્ભર શાળાઓએ ચકાસણી દરમિયાન શોધી કાઢ્યા છે. શાળાઓએ આ તમામ કેસ જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) રોહિત ચૌધરી સમક્ષ રજૂ કર્યા છે. અન્ય એક વિદ્યાર્થીના કિસ્સામાં તેના પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૧.૭૯ લાખની આવક ઉપરાંત રૂ. ૭.૧૦ લાખની ખેતીની આવક દર્શાવી હતી. તેમ છતાં તેમના પુત્રને વર્ષ ૨૦૨૬-૨૭ માટે આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો હતો. અન્ય એક કિસ્સામાં બાળકીનાં માતા-પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬ના ઈન્કમટેક્સ રિટર્નમાં રૂ. ૧૩.૫૪ લાખની સંયુક્ત આવક દર્શાવી હતી અને તેમની પુત્રીને પણ આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો હતો.

વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળી શકે

ગુજરાત શિક્ષણ વિભાગે વધુ વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળી શકે તે માટે શહેરી વિસ્તારોમાં આરટીઈ માટેની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. છ લાખ કરી હતી. અગાઉ મળતી ફરિયાદોમાં સામાન્ય રીતે આશરે રૂ. છ લાખની આવક ધરાવતા વાલીઓનો સમાવેશ થતો હતો, જોકે શાળા સંચાલકોનો દાવો છે કે આ વર્ષે રૂ. છ લાખથી વધુ અને રૂ. ૨૭ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓએ પણ આરટીઈ હેઠળ બેઠકો મેળવી છે. શૈક્ષણિક ક્ષેત્રના લોકો અને શાળા ટ્રસ્ટીઓનું કહેવું છે કે આવા કિસ્સામાં એફઆઈઆર નોંધાવવાની જોગવાઈ હોવા છતાં સરકાર કડક કાર્યવાહી કરતી નથી અને આત્યંતિક પગલા તરીકે માત્ર પ્રવેશ રદ કરવામાં આવે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ઈમર્જન્સી લેન્ડિંગ કેસમાં મોટો ખુલાસો, ધમકીભરી ચિઠ્ઠીને લઈ મોટો ખુલાસો

આવતા સપ્તાહે ડીઈઓ સમક્ષ સુનાવણી હાથ ધરાશે

ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે તેમને ૩૫ કેસ અંગે ફરિયાદો મળી છે અને આગામી સપ્તાહે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ અને શાળાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Schools RTE Admission Income Limit

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ