ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ઈમર્જન્સી લેન્ડિંગ કેસમાં મોટો ખુલાસો, ધમકીભરી ચિઠ્ઠીને લઈ મોટો ખુલાસો

ગુજરાત / અમદાવાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ઈમર્જન્સી લેન્ડિંગ કેસમાં મોટો ખુલાસો, ધમકીભરી ચિઠ્ઠીને લઈ મોટો ખુલાસો

Published By: Nidhi Panchal

Last Updated: 02:00 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હવે તપાસમાં ફ્લાઈટના ફર્સ્ટ ઓફિસર શંકાના ઘેરામાં આવ્યા છે અને હસ્તલિખિત નમૂના તથા લાઈ ડિટેક્ટર ટેસ્ટને લઈને મોટા ખુલાસા થયા છે.

ADVERTISEMENT

દમામ (સાઉદી અરેબિયા)થી નવી દિલ્હી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં ૩૧ ઓગસ્ટે અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ બોમ્બની અફવાની તપાસમાં હવે ફ્લાઈટના ફર્સ્ટ ઓફિસર શંકાના ઘેરામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ સૂત્રોનાંં જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત ફર્સ્ટ ઓફિસરના હસ્તલિખિત નમૂના લેવામાં આવ્યા હતા. ધમકીભરી ચિઠ્ઠી પર ‘RED: BOMB’ લખાણ હતું. આ લખાણ ફર્સ્ટ ઓફિસરના હસ્તાક્ષર સાથે ૬૫ ટકા મેળ ખાતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

bombbbb

તપાસકર્તાઓએ નોંધ્યું હતું કે ફર્સ્ટ ઓફિસર અગાઉ પણ એક એવી ફ્લાઈટના ક્રૂ મેમ્બર હતા, જેમાં બોમ્બની અફવા સંબંધિત ઘટના સર્જાઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે બંને કેસમાંથી મળેલા હસ્તલિખિત નમૂનાઓ એકબીજા સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX170માં ટોઈલેટમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી આવ્યા બાદ પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. ત્યાર બાદ ફ્લાઈટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૩૧ ઓગસ્ટે સાંજે ૪.૨૭ વાગ્યે ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં ૩૨ મુસાફરો, ચાર કોકપિટ ક્રૂ મેમ્બર અને ચાર કેબિન ક્રૂ મેમ્બર હતાં.

ફર્સ્ટ ઓફિસર લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં પણ નિષ્ફળ

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, ફર્સ્ટ ઓફિસરની લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને છ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સૂત્રોના દાવા મુજબ, તેઓ આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા. આ કેસની શરૂઆતમાં શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ હવે તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે તપાસમાં હજુ એ બાબત સ્પષ્ટ થવાની બાકી છે કે આ કૃત્ય પાછળનો હેતુ શું હતો અને તેમાં કોઈ ગેરરીતિ કે નુકસાન પહોંચાડવાનો ઈરાદો હતો કે કેમ.

આ પણ વાંચો : ₹10 કરોડની ખંડણીના ધમકીભર્યા અવાજનું રોહિત ગોદારા ગેંગ સાથે કનેક્શન, દિલ્હી-ગુજરાત પોલીસે નેટવર્કનો પર્દાફાશ કર્યો

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું છે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દમામથી દિલ્હી જતી તેમની ફ્લાઈટ સાથે સંકળાયેલી સુરક્ષા સંબંધિત ઘટનાની તપાસ કાયદા અમલીકરણ એજન્સીઓ કરી રહી છે અને આ અંગે એરલાઈને ફરિયાદ નોંધાવી હતી. એરલાઈને તપાસમાં સંબંધિત એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરો, ક્રૂ અને ફ્લાઈટ ઓપરેશનની સુરક્ષા સાથે ચેડાં કરનારા કોઈ પણ કૃત્યની એરલાઈન સખત ટીકા કરે છે. તપાસના તારણોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Threat Air India Express First Officer

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ