બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / વડોદરા / Beware of links asking for donations for Sri Ram Temple in Ayodhya, cyber mafias are scamming people in the name of Lord Ramnath
Dinesh
Last Updated: 10:48 PM, 17 January 2024
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન રામનાથના નામે લોકો સાથે છેતરપિંડી સાયબર માફિયાઓ કરી રહ્યા છે. શ્રી રામનાથના નામથી પત્રકારની ઓળખ આપી સાયબર માફિયાએ ફેસબૂક પેજ બનાવ્યું અને ફેસબૂકના માધ્યમથી સાયબર માફિયાએ રામ મંદિર ડોનેટ ફાઉન્ડેશનના નામથી મેસેજ FBમાં પોસ્ટ કર્યા.
QR કોડ પોસ્ટ કરી ક્ષમતા પ્રમાણે ડોનેશનની માગ કરી
રિલના માધ્યમથી QR કોડ પોસ્ટ કરી ક્ષમતા પ્રમાણે ડોનેશનની માગ કરી. ત્યારે લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સાયબર માફિયાઓ ત્રણ દિવસ પહેલા જ સાયબર માફિયાએ ફેસબુક પર બોગસ પેજ બનાવ્યું. પેજમાં રામ રાજ મંદિરમાં નોકરી કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાળવકરનું સાવચેતીના ભાગરુપે નિવેદન સામે આવ્યું છે. આવા બોગસ પેજ પર લોકોએ વિશ્વાસ ન કરવો જોઇએ. કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં આવતા QR કોડને સ્કેન ન કરવો જોઈએ. લોકો તકેદારી નહિ રાખે તો સાયબર માફિયા બેંક ખાતું ખાલી કરી દેશે.
વાંચવા જેવું: ખેડા-આણંદમાં IT વિભાગનો સપાટો: રાજ્યની તમામ બિલ્ડર લોબીમાં ફફડાટ, ઝડપાઇ શકે મોટી કરચોરી
ઠગાઇથી કેવી રીતે બચી શકો?
અજાણી લિંક પર ન કરશો વિશ્વાસ
દાન અને પ્રસાદને લઇને છેતરાશો નહીં
કોઇ પણ પેજની સત્યતા ચકાસો
રામ મંદિરે દાન માટે કોઇ જાહેરાત નથી કરી
ઓનલાઇન પ્લેટફોર્મને ચકાસવા જોઇએ
QR કોડ સ્કેન કરવાથી બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી
વોટ્સએપ પણ હેક થઇ શકે છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime