હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકોના જીવનમાં માટે પાણી ભરાવવાની સમસ્યાની સાથે સાથે બીમારીની તકલીફો વધતી હોય છે. આવામાં ડૉક્ટર્સના ક્લિનિક પર ધક્કાં વધી જાય છે અને દવાઓમાં પણ પૈસા પાણીની જેમ વપરાય છે. ત્યારે આ બધી તકલીફોથી બચવું હોય તો ખાસ કરીને વરસાદી વાતાવરણમાં બીમારીથી દૂર કેવી રીતે રહેવાય તેનું ધ્યાન તમારે ચોક્કસ રાખવું જોઈએ. જેથી આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે ઘરની જ એવી વસ્તુઓથી આ વાતાવરણમાં હેલ્ધી રહેવું હોય તો જોઈ લો અમારો આજનો Fit n Fine નો ઍપિસોડ... જેમાં ડો.પ્રીતિ ભટ્ટ આપે છે તમને ખાસ આયુર્વેદિક ટિપ્સ