બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાદ્ધ પક્ષમાં પિતૃદોષથી મુક્તિ માટે આ સ્ત્રોતનો કરો પાઠ, પિતૃઓના મળશે આશીર્વાદ

જ્યોતિષ / શ્રાદ્ધ પક્ષમાં પિતૃદોષથી મુક્તિ માટે આ સ્ત્રોતનો કરો પાઠ, પિતૃઓના મળશે આશીર્વાદ

Last Updated: 10:56 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ કારણોસર તમે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ સંબંધિત કાર્ય કરી શકતા નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી. એક સ્ત્રોત છે, જેનો પાઠ કરીને તમે પૂર્વજોને પ્રસન્ન કરી શકો છો અને પિતૃ દોષથી રાહત મેળવી શકો છો.

શ્રાદ્ધપક્ષ શરૂ થઈ ચૂક્યો છે. આ પવિત્ર દિવસોમાં આપણાં પૂર્વજોને યાદ કરીને તર્પણ, પિંડદાન અને દાન કરવાનું ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સમયમાં પિતર પૃથ્વી પર અવતરતાં હોય છે અને વંશજોએ કરેલા શ્રાદ્ધકર્મને સ્વીકારીને સંતોષ મેળવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે પરિસ્થિતિને કારણે દરેક વ્યક્તિ શ્રાદ્ધવિધિ કરી શકતો નથી. આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ‘પિતૃસૂક્ત’નું પાઠન કરવાથી પણ પિતરો પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

PITRU-COVER

પિતૃસૂક્તનું મહત્ત્વ

ઋગ્વેદમાં આવતા આ સ્તોત્ર પિતૃને સમર્પિત માનવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી કરાયેલ પઠન પૂર્વજોને તૃપ્ત કરવાનું સાધન છે. ધાર્મિક માન્યતા મુજબ, તેના નિયમિત પાઠથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને પિતૃદોષથી રાહત મળે છે.

pitru-paksh-2

ક્યારે અને કેવી રીતે કરવો પાઠ?

  • સવારના સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
  • દક્ષિણ દિશા તરફ મુખ કરીને આસન પર બેસો.
  • તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરી તિલ અર્પણ કરો.
  • પિતૃસૂક્તનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરો.
  • પાઠ પૂર્ણ થયા પછી પૂર્વજોને યાદ કરીને દાન કે બ્રાહ્મણ ભોજનનું સંકલ્પ લો.

લાભો

  • પિતૃદોષથી થતા અવરોધો દૂર થાય છે.
  • ઘરગથ્થું સુખ-શાંતિ અને આર્થિક પ્રગતિ મળે છે.
  • સંતાન સુખ તથા કુટુંબમાં સુમેળ વધે છે.
  • પૂર્વજોની કૃપાથી જીવનમાં સકારાત્મકતા આવે છે.

પિતૃપક્ષ દરમિયાન જો શ્રાદ્ધકર્મ શક્ય ન હોય, તો પિતૃસૂક્તનું પાઠન કરવાથી પણ પિતર પ્રસન્ન થાય છે અને પરિવાર પર આશીર્વાદ વરસાવે છે.

આ પણ વાંચો : આ છે પિતૃલોક સાથે જોડાયેલી 7 નિશાનીઓ, ઘરમાં દેખાય તો સમજી લેવું કે પૂર્વજો નારાજ!

પિતૃ સુક્તમનો પાઠ

ઉદિરતામવર ઉત્પરાસ ઉન્મધ્યમા: પિતર: સોમ્યાસ: ।

અસું ય ઈયુરવૃકા ઋતજ્ઞાસ્તે નોsવન્તુ પિતરો હવેષુ ॥૧॥

અંગિરસો ન: પિતરો નવગ્વા અથર્વાણો ભૃગવ: સોમ્યાસ: ।

તેષાં વયમ સુમતૌ યજ્ઞિયાનામપિ ભદ્રે સૌમનસે સ્યામ ॥૨॥

યે ન: પૂર્વે પિતર: સોમ્યાસોsનૂહિરે સોમપીથં વસિષ્ઠા: ।

તોભિર્યમ: સં રરાણો હર્વી ષ્યુશન્નુશદભિ: પ્રતિકામમત્તુ ॥૩॥

ત્વં સોમ પ્ર ચિકિતો મનીષા ત્વં રજિષ્ઠમનુ નેષિ પન્થામ ।

તવ પ્રણીતી પિતરો ન ઈન્દો દેવેષુ રત્નમભજન્ત ધીરા: ॥૪॥

ત્વયા હિ ન: પિતર: સોમ પૂર્વે કર્માણિ ચકુ: પવમાન ધીરા: ।

વન્વન્નવાત: પરિધીન રપોર્ણુ વીરેભિરશ્વૈર્મઘવા ભવા ન: ॥૫॥

ત્વં સોમ પિતૃભિ: સંવિદાનોsનુ દ્યાવાપૃથિવી આ તતન્થ ।

તસ્મૈ ત ઈન્દો હવિષા વિધેમ વયં સ્યામ પતયો રયીણામ ॥૬॥

બર્હિષદ: પિતર ઉત્યર્વાગિમા વો હવ્યા ચકૃમા જુષધ્વમ ।

ત આ ગતાવસા શન્તમેનાથા ન: શં યોરરપો દધાત ॥૭॥

આsહં પિતૃન્સુવિદત્રાન અવિત્સિ નપાતં ચ વિક્રમણં ચ વિષ્ણો: ।

બર્હિષદો યે સ્વધયા સુતસ્ય ભજન્ત પિતૃવસ્ત ઈહાગમિષ્ઠા: ॥૮॥

ઉપહૂતા: પિતર: સોમ્યાસો બર્હિષ્યેષુ નિધિષુ પ્રિયેષુ ।

ત આ ગમન્તુ ત ઈહ શ્રુવન્ત્વધિ બ્રુવન્તુ તેsવન્ત્વસ્માન ॥૯॥

આ યન્તુ ન: પિતર: સોમ્યાસોsગ્નિષ્વાત્તા: પથિભિર્દેવયાનૈ: ।

અસ્મિનન યજ્ઞે સ્વધયા મદન્તોsધિ બ્રુવન્તુ તેsવન્ત્વસ્માન ॥૧૦॥

અગ્નિષ્વાતા: પિતર એહ ગચ્છત સદ:સદ: સદત સુપ્રણીતય: ।

અત્તા હર્વીષિ પ્રયતાનિ બર્હિષ્યથા રયિં સર્વવીરં દધાતન ॥૧૧॥

યે અગ્નિષ્વાત્તા યે અનગ્નિષ્વાત્તા મધ્યે દિવ: સ્વધયા માદયન્તે ।

તેભ્ય: સ્વરાડસુનીતિમેતાં યથાવશં તન્વં કલ્પયાતિ ॥૧૨॥

અગ્નિષ્વાત્તાનૃતુમતો હવામહે નારાશં સે સોમપીથં ય આશુ: ।

તે નો વિપ્રાસ: સુહવા ભવન્તુ વયં સ્યામ પતયો રયીણામ ॥૧૩॥

આચ્યા જાનુ દક્ષિણતો નિષદ્ય ઈમમ યજ્ઞમ અભિ ગૃણીત વિશ્વે ।

મા હિંસિષ્ટ પિતર: કેન ચિન્નો યદ્વ આગ: પુરુષતા કરામ ॥૧૪॥

આસીનાસોs અરુણીનામ ઉપસ્થે રયિમ ધત્ત દાશુષે મર્ત્યાય ।

પુત્રેભ્ય: પિતર: તસ્ય વસ્વ: પ્રયચ્છત તs ઈહ ઉર્જમ દધાત ॥૧૫॥

॥ ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pitrusukta Pitrudosha Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ