બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:02 AM, 18 June 2025
શું તમે ધ્યાન આપ્યું છે કે હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારથી દુર્ઘટનાની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે? કયારેક પછી પ્લેન ક્રેશ, સ્ટેમપેડ, મુંબઈ ટ્રેનમાં આ સમયે દરેક જગ્યાએ અફરા તફરીનો માહોલ છે અને એની પાછળ કારણ ગ્રહોના સેનાપતિ મંગળનું હોવું છે. હકીકતમાં 2025નો મૂળાંક 9 છે અને આ અંકના સ્વામી મંગળ છે, મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી પણ છે. એટલા માટે વર્ષ 2025માં મંગળ ગ્રહોનો પ્રભાવ ખુબ વધુ રહેવાનો છે.
ADVERTISEMENT

વર્ષ 2025માં ઘણા ગ્રહો રાશિ બદલશે
ADVERTISEMENT
વર્ષ 2025માં ઘણા ગ્રહો રાશિ બદલશે. આ વર્ષે શનિ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તેઓ વક્રી અને માર્ગી બંને સ્થિતિમાં રહેશે. આ સિવાય, શુભ ગ્રહ ગુરુ પણ અતિચારી સ્થિતિમાં ગયો છે અને આખું વર્ષ આ સ્થિતિમાં રહેશે. શનિએ મીન રાશિમાં, રાહુએ પણ આ વર્ષે કુંભ રાશિમાં ગોચર કર્યું છે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. એટલા માટે મંગળની સાથે, બધા પાપી ગ્રહોનો પ્રભાવ 2025માં ખૂબ જ વધારે રહેવાનો છે.
સૂર્ય અને મંગળ સર્જશે વિનાશ?
ADVERTISEMENT
વિક્રમ સંવત 2082ના રાજા, મંત્રી અને સેનાપતિ સૂર્ય દેવ રહેશે, તેથી દેશ અને દુનિયામાં ઘણી ખતરનાક પરિસ્થિતિઓ જોવા મળશે. સૂર્ય ગ્રહોનો રાજા અને આત્મા, પિતા, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન અને ઉર્જાનો કારણ ગ્રહ માનવામાં છે. ત્યારે વર્ષ 2025નો મૂળ અંક 9 છે, જેનો સ્વામી મંગળ છે. જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ યુદ્ધ, રક્ત, હિંમત, પરાક્રમ, ભૂમિ, ઉર્જા, ભાઈ વગેરેનો ગ્રહ છે. 7 જૂને મંગળએ સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે તે સાથે ઘણા અશુભ સંયોગો શરૂ થયા હતા. આ સાથે, શનિ અને મંગળ વચ્ચે એક ખતરનાક ષડાષ્ટક યોગ રચાઈ રહ્યો છે, જે 28 જૂન સુધી સક્રિય રહેશે. આ આખા વર્ષમાં, મંગળ ઘણી બધી ઉથલપાથલ, યુદ્ધ ફાટી નીકળવું, ભૂકંપ, અગ્નિદાહ વગેરેનું કારણ બની શકે છે.

ADVERTISEMENT
મંગળ નુકસાન પહોંચાડી શકે છે
મંગળ અને કેતુ પણ સિંહ રાશિમાં યુતિથી કુજ-કેતુ યોગ રચાય છે, જે 28 જુલાઈ સુધી રહેશે. આ સાથે ઘણા અશુભ યોગ એકસાથે બનવાને કારણે દેશ અને દુનિયામાં ભારે નુકસાન થવાની સંભાવના છે. આ ગ્રહોના યોગના પ્રભાવથી વિમાન, ટ્રેન અને માર્ગ અકસ્માત થવાની સંભાવના છે. સાથે તેમના અશુભ પ્રભાવથી જૂના યુદ્ધો વધી શકે છે અને નવા યુદ્ધો પણ શરૂ થઈ શકે છે. ત્યારે ભૂકંપ અને લશ્કરી સંઘર્ષની શક્યતાઓ ઉગ્ર બની શકે છે. તેથી, જ્યોતિષમાં કેટલીક એવી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર મુસાફરી ટાળવી જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો:દર બુધવારે અપનાવો આ 7 ઉપાય, કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે
આ તારીખો પર પ્રવાસ ટાળો
ADVERTISEMENT
જુલાઈ – 2, 11, 20, 29
ઓગસ્ટ – 1, 10, 19, 28
સપ્ટેમ્બર – 9, 18, 27
ઓક્ટોબર – 8, 17, 26
નવેમ્બર – 7, 16, 25
ડિસેમ્બર – 6, 15, 24
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.