બ્રેકિંગ ન્યુઝ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
Dinesh
Last Updated: 09:04 PM, 21 May 2023
ADVERTISEMENT
એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવી આઈપીએલમાં પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી, જે મેચ બાદ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે તનાતની થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો જોઈ એવું લાગી રહ્યું હતું કે, કંઈક બાબતને લઈ બંન્ને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ રવિન્દ્રસિંહ જાડેજાએ એક સ્પેશિયલ ટ્વીટ કરી છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
રવિન્દ્રસિંહ જાડેજાએ ટ્વીટ કરી
જોડેજાએ ટ્વીટ કરી લખ્યું છે કે, કર્મોનો ફળ જરૂરથી મળે છે જે પછી વહેલું મળે કે મોડું. તમને જણાવી દઈએ કે, ધોનીએ કેપ્ટન પદથી હટ્યા પછી આઈપીએલ 2022માં જાડેજાએ ચેન્નઈ સુપર કિંગની બાગડોર સંભાળી હતી. જાડેજાની કેપ્ટશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગે 8માંથી 2મેચ જ જીતી હતી, ત્યાર બાદ ધોની ફરીથી કેપ્ટન બન્યો હતો.
ADVERTISEMENT
Definitely 👍 pic.twitter.com/JXZNrMjVvC
— Ravindrasinh jadeja (@imjadeja) May 21, 2023
વીડિયો વાયરલ
બંને ખેલાડીઓ વચ્ચે ક્યા કારણોસર અણબનાવ થયો તેની વિગતો બહાર આવી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે જાડેજા કોઈક વાતથી ખુશ ન હતો. જ્યારે કેપ્ટન કૂલ ધોની તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ધોની પણ જાડેજાના ખભા પર હાથ રાખે છે. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત સામાન્ય લાગે છે.
— A (@cricketvf) May 20, 2023
જાડેજાનું બોલિંગ પ્રદર્શન સારૂ રહ્યું ન હતું
મેચમાં જાડેજાનું બોલિંગ પ્રદર્શન સારૂ રહ્યું ન હતું અને તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા હતા તેમજ જાડેજાને માત્ર એક જ વિકેટ મળી હતી, જ્યારે બેટિંગમાં જાડેજાએ 7 બોલમાં 20 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.