બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / An important decision of the medical department and the health department to the patients after the doctors' strike
Mehul
Last Updated: 03:32 PM, 8 December 2021
ADVERTISEMENT
અમદાવાદ,રાજકોટ સુરત સહીતનાં તબીબી વિધાર્થીઓ ની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે. સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે. મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે.
ગુજરાત રાજ્યમાં હાલ વિવિધ માંગોને લઈને જુનિયર તબીબો હડતાળ કરી રહ્યા છે ત્યારે જુનિયર તબીબોને હેડ દ્વારા ધમકી મળ્યાનો જુનિયર તબીબોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ સિવિલમાં હડતાળ પર ઉતરેલા તબીબોને ધમકી અપાયાના આક્ષેપ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે ગુજરાતમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓ પર માગ ન સ્વીકારાતા તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ગત અઠવાડિયે પણ તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો OPDમાં આજે નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે, પરતું દર્દીઓને પરેશાની ન ભોગવવી પડે એ માટે હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલું રહેશે તેવું તબીબો જણાવી રહ્યા છે.
રાજકોટમાં 200થી વધારે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર
આ તરફ રાજકોટમાં આજથી રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી રહ્યા છે, 200થી વધારે ડૉક્ટરો હડતાળ પર જતા મેડિકલ કોલેજના ટ્યુટર્સ અને મેડિકલ ઓફિસરને ફરજ પર રહેવા સૂચના અપાઈ છે, દર્દીઓ પરેશાન ન થાય તે માટે હોસ્પિટલ સત્તાધીશોનો નિર્ણય કર્યો છે. રેસિડેન્ટ ડૉક્ટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે તબીબોની માંગ અને સરકાર વચ્ચેની લડાઈમાં સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
બીજી તરફ સુરતની સિવિલ-સ્મીમેરના હોસ્પિટલના તબીબોની હડતાળ યથાવત જોવા મળી રહી છે, ત્યારે આજથી ઇમરજન્સી સેવાઓ પણ તબીબોએ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં સવારથી ઇમરજન્સી સેવા બંધ કરવામાં આવી છે ત્યારે જ્યારે નવી સિવિલમાં સાંજે પાંચ વાગેથી ઇમરજન્સી સેવા બંધ કરાશે તેવું તબીબોએ એલાન કર્યું છે. હવે ઇમરજન્સી સેવા બંધ કરાતા હોસ્પિટલ આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની પડતર પ્રશ્નો અને માગોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તબીબો હડતાળ યથાવત રાખવની ચીમકી ઉચ્ચારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.