ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / amit chavda big statement over MLA horse trading gujarat rajyasabha elections 2020

વિધાનસભા / રાજકીય ભૂકંપ : અમિત ચાવડાના આ મોટા આરોપથી ખળભળાટ, કહ્યું આટલા કરોડમાં થયો સોદો

Published By: vtvAdmin

Last Updated: 01:51 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસને એક સાંઘતાં તેર તુટ્યા, પાંચ કોંગી ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી ભાજપના માર્ગે ચાલ્યા છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં હોબાળો મચી જવા પામ્યો છે. જાણે વિપક્ષ અને શાસક પક્ષના ધારાસભ્યો યુદ્ધ લડવાના હોય. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને CM રૂપાણી તો જાણે એકબીજા પર એવા વાક પ્રહાર કર્યા કે જુની અખાડાની રમત રમ્યા હોય તેમ બાવડે આવી જાય તેમ જ હતા. પણ ગૃહની ગરિમા યાદ આવી ને બંને રોકાઈ ગયા.

ADVERTISEMENT

  • અમિત ચાવડાએ કહ્યું CMના બંગલે જ ધારાસભ્યોના સોદા થયા
  • સોદાની 50 ટકા રકમ નરહરિ અમિને ચુકવવી પડશે?: સુત્રો 
  • છોટુ વસાવા તો કહે છે 100 કરોડમાં કોંગી ધારાસભ્યો વેચાયા
     

તમે સાચવી ના શક્યા એમાં અમારો વાંક ઃ રૂપાણી

સમગ્ર ગુજરાતની રાજનીતિમાં કંઈક નવો ભૂંકપ આવ્યો હોય તેમ ધારાસભ્યો પાટલી બદલી ગયા. જોકે પ્રજા અને ધારાસભ્યોમાં એ સૌથી મોટી ચર્ચાનો મુદ્દો બન્યો કે ધારાસભ્યો વેચાયા કેટલામાં. આ મુદ્દે મનોમન ધુંઆપુઆ થયેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગૃહમાં જ નિવેદન આપ્યું CM રૂપાણીના બંગલે અમારા પાંચ ધારાસભ્યો સાથે 65 કરોડમાં સોદા થયા છે. જોકે જેવું અમિત ભાઈ 65 કરોડના સોદા બોલ્યા ત્યાં જ CM રૂપાણી ઉભા થઈ ને બોલ્યા કે કોંગ્રેસ પોતાના ધારાભ્યોને સાચવી ના શકે, અને આરોપ અમારા પર મૂકે છે.

ભાજપ 65 કરોડ લાવી ક્યાંથીઃ ચાવડા

જો કે આ સાથે અમિત ચાવડાએ ગૃહમાં શાસક પક્ષ પર વાક પ્રહાર કરતાં કહ્યું કે પાંચ ધારાસભ્ય ના રાજીનામાં પડ્યા 65 કરોડ નો સોદો થયો, મુખ્યપ્રધાનના ઘરે સોદો થયો તો ક્યાંથી લાવ્યા 65 કરોડ, કેવી રીતે લાવ્યા 65 કરોડ, ક્યાંથી કર્યો ભ્રષ્ટાચાર. અમિત ચાવડાના આ નિવેદનથી થોડી વાર ભાજપમાં સોપો પડી ગયો હતો. ત્યાર બાદ વિજયભાઈ, નીતિનભાઈ અને પછી જીતુ વાઘાણી એમ બધા અમિતભાઈને જવાબ વાળવા ઉભા થયા હતા. 

ધારાસભ્યોને 15-15 કરોડનું ચુકવણું પણ થયું છેઃ સુત્રો 

રાજકીય સુત્રોને મળતી માહિતી મુજબ પાંચેય કોંગી ધારાસભ્યોનો સોદો 65 કરોડમાં થયો છે. એક સિનિયર ધારાસભ્યને 20 કરોડ અને બીજા 4 ધારાસભ્યોને 15-15 કરોડનું પેમેન્ટ અત્યારે જ થઈ ગયું છે. આ ઉપરાંત ભાજપમાં આવવાં ઉતાવળના થઈ રહેલાં અન્ય બે ધારાસભ્યોને પણ કંઈક મોટી રકમ આપવાની વાત ચાલી રહી છે. આ ધમાસાણા વચ્ચે BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વિટ કરી એવું કહ્યું હતું કે કોંગી ધારાસભ્યોનો સોદા 100 કરોડમાં થયો હતો. એક ધારાસભ્યોનો થયો કે 100 કરોડમાં બે ગયા. જોકે વસાવા મીડિયાની ચર્ચામાં આવતાં અંતે આજે તેમણે આ ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.

નરહરિ અમીનને સોદાની 50 ટકા રકમ આપાવા ભાજપનો દમ 

ભાજપના અંગત રાજકીય સુત્રો મુજબ જીતુ વાઘાણી સહિતના મોવડી મંડળે પાછળથી નરહરિ અમીનને ટિકિટ આપી તેના પર દમ માર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લેવા જે પણ ચુકવણું થાય તેના 50 ટકા રૂપિયા તમારે ચુકવવા પડશે. આથી ગઈકાલે જ્યારે કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે 20 કરોડ અને 15 કરોડ એમ તાત્કાલિક ચુકવણું થયું છે જે રકમ નરહરિ અમીનને ચુકવવાનો વારો આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amit chavada CM રૂપાણી RAJYA SABHA ELECTIONS 2020 cm rupani અમિત ચાવડા રાજ્યસભા ચૂંટણી 2020 RAJYA SABHA ELECTIONS 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ