બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Politics / Amidst Kangna Shiv Sena controversy, saints warn Uddhav Thackeray, "If you don't come to Ayodhya ...
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને શિવસેના વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. કંગનાના સમર્થનમાં અયોધ્યામાં સંતોએ ઉદ્ધવ ઠાકરેનો વિરોધ શરૂ કર્યો છે. સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે ઉદ્ધવ અયોધ્યા ન આવે. જો તેઓ અહીં આવશે તો તેમણે વિરોધનો સામનો કરવો પડશે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ પણ કંગના રનૌત ને રાષ્ટ્રની પુત્રી ગણાવ્યા છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને અયોધ્યા ન આવવાની ચીમકી પણ આપી છે.
ઉદ્ધવ ઠાકરે કે શિવસેનાના કોઈ પણ નેતાનો અયોધ્યામાં વિરોધ થશે: સંતો
ADVERTISEMENT
હનુમાનગઢી મંદિરના પૂજારી મહંત રાજુ દાસે કંગનાની ઓફિસ તોડી પાડવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે અથવા કોઈ શિવસેનાના નેતા અયોધ્યા આવે છે તો તેનો વિરોધ કરવામાં આવશે. સંતો તેની કામગીરીની વિરુદ્ધ છે. જેમાં BMC એ કંગનાની ઓફિસ તોડી પાડી હતી.
"માફિયા હવે ડરી રહ્યા છે": મહંત ગિરી
ADVERTISEMENT
મહંત ગીરીએ કહ્યું છે કે કંગના રનૌત એક બહાદુર અને હિંમતવાન પુત્રી છે જેણે બોલિવૂડ માફિયા અને ડ્રગ માફિયાઓના કૌભાંડનો ખુલાસો કર્યો છે. તેણે બોલિવૂડમાં કોઈ ખાસ સમુદાયના વર્ચસ્વ સામે હિંમતથી અવાજ ઉઠાવ્યો છે. આનાથી માત્ર બોલિવૂડના માફિયાઓ જ ભયભીત થયા નથી, પરંતુ સરકારને પણ તેનાથી આંચકાઓ આવી રહ્યા છે.
"કંગના બહાદુરીથી લડી રહી છે, તેથી સમર્થનમાં ઉતરવું પડ્યું" : નરેન્દ્ર ગિરી
ADVERTISEMENT
અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સરકારે સત્યને દબાવવા માટે કાર્યવાહી કરી છે. જોકે, મહારાષ્ટ્ર હાઇકોર્ટે કંગના રનૌત ને મોટી રાહત આપી છે અને ડિમોલિશનની કાર્યવાહી બંધ કરી દીધી છે. સુશાંત કેસમાં કંગનાને ઘણા માફિયાઓનો સામનો કરવો પડ્યો છે જેનાથી લોકો ખુશ નથી.
મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ : મહંત
ADVERTISEMENT
મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પાલઘરમાં બે સાધુઓની હત્યામાં પણ મહારાષ્ટ્ર સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે કંગના રનૌત ની આ લડાઇમાં સંતો અને આખો દેશ તેમની સાથે છે. તેમણે કંગના રનૌત ને સુરક્ષા આપવા બદલ હિમાચલ પ્રદેશ સરકારનો આભાર પણ માન્યો છે.
'કંગનાની ઓફિસ તોડી નાખી, સાધુઓની હત્યામાં કોઈ કાર્યવાહી નહીં'
ADVERTISEMENT
હનુમાનગઢી મંદિરના પૂજારી મહંત રાજુ દાસે જણાવ્યું હતું કે સરકારે કોઈ સમય આપ્યા વિના કંગનાની ઓફિસ તોડી નાખી અને પાલઘરમાં સાધુઓની હત્યામાં ઘણો બધો સમય વીતવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. મહંત કન્હૈયા દાસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યામાં હવે આવકાર નથી. આ શિવસેના એવી રહી નથી જે તે એક સમયે બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વ હેઠળ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.