ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / amedabad municipal corporation message helpline number

અમદાવાદ / ફરિયાદનો નિકાલ ન થવા છતા નિકાલ કરી દેવાયાનો મળી રહ્યો છે મેસેજ, નાગરિકોમાં અસંતોષ

Published By: Mehul

Last Updated: 10:03 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓને નાગરિક સુવિધાઓને લગતી કોર્પોરેશન સામે કોઇ ફરિયાદ હોય તો તેને માટે એક હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, પરંતુ મહત્વની બાબત એ છે કે, ફરિયાદનો ઉકેલ આવ્યા પહેલાં જ ફરીયાદનો નિકાલ થઇ ગયો હોવાનો મેસેજ ફરિયાદીને મળી રહ્યો છે. આ પ્રકારની ફરિયાદ ઘણા શહેરીજનો કરી રહ્યા છે.

ADVERTISEMENT

  • કોર્પોરેશનની કામગીરીથી નાગરિકોમાં અસંતોષ
  • ફરિયાદનો ઉકેલ આવ્યા પહેલાં નિકાલ થયાનો ફરિયાદીને મળી રહ્યો છે મેસેજ
  • પ્રાથમિક સુવિધાને લઇ નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે

શહેરના નાગરિકો વિવિધ ટેક્સ ભરે છે તેની સામે કોર્પોરેશને શહેરીજનોને જાહેર સુખાકારી તથા માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. પરંતુ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ આવા જનતાના પ્રતિનિધીઓ તેમના વિસ્તારમાં શોધ્યા પણ જડતા નથી. આથી પ્રાથમિક સુવિધાને લઇ નાગરિકોમાં અસંતોષ વધતો જાય છે. તેથી સામાન્ય નાગરિકો આ અંગે એએમસીને ફરિયાદ કરી શકે તે અને તેનો જલદી નિકાલ આવી શકે તે માટે કોર્પોરેશને વર્ષ 2015થી 155303 હેલ્પલાઇન નંબર આપ્યો છે. આ નંબર પર લોકો ફરિયાદ તો કરે છે પરંતુ તેનો નિકાલ થતો નથી. અને જે થાય છે તે મોડો થાય છે.

 

શહેરના નાગરિકોની સમસ્યા શાસકો અને વહીવટી તંત્ર સુધી પહોંચે અને તેનો તત્કાલ નિરાકણ આવે તે માટે ટેકનોલોજીનો આવો ઉપયોગ આશીર્વાદ રૂપ થઈ શકે છે. પરંતુ સવાલ દાનતનો છે. પરંતુ સેવાની બદદાનતને પણ જ્યારે આવી ટેકનલોજીનો સાથ મળે છે ત્યારે તે વધારે વકરે છે. તેનુ ઉદાહરણ આ નાગરિકોને કામ થયા વિના મળતા મેસેજ છે. કેમકે અનેક વાર ફરિયાદનો નિકાલ નીકાલ ન થયો હોવા છતા ફરિયાદ નીકાલ કરી દેવાયા હોવાનો મેસેજ આવે છે. આવો અનુભવ ઘણા નાગિરકોને થયો છે. માત્ર નાગરિકોને જ નહીં કેટલાક કોર્પોરેટરોને પણ આવો અનુભવ થયો છે.
 
અમદાવાદ કોર્પોરેશન વિકાસની વાતો કરે છે પરંતુ હકીકતમાં તેની કામગીરી કેવી છે તેનો ખ્યાલ ચોપડે નોધાતી ફરિયાદોથી ખ્યાલ આવે છે. મહાનગરપાલિકાને પ્રાથમીક સુવિધાને લઇને  રોજની આશરે એક હજારની આસપાસ ફરિયાદ મળે છે. પરંતુ ચબરાક કર્મચારીઓ ફરિયાદના નિકાલ પહેલાં જ ફરિયાદ નિકાલનો મેસેજ કરીને આભાસી ચિત્ર ઊભું કરે છે. આવા કર્મચારીઓ અને અધિકારીઓ પર મ્યુનિસિપર કમિશરને લાલ આંખ કરી છે.

તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ જો સાચી સેવાભાવના સાથે કરવામાં આવે તો તો અનેક પ્રશ્નનો ઉકેલ ગણતરીની મિનિટોમાં આવી શકે તેમ છે. પરંતુ જ્યારે આ જ ટેકનોલોજીનો ઉપયોગ  જ્યારે કર્મચારીઓ પોતાની આળસને ચાદર ઓઢાડવા માટે કરે છે ત્યારે સમસ્યાનો ગુણાકાર થાય છે. અને સરવાળે નાગરિકોને નુકસાન પહોંચે છે. કદાચ આ બાબતને ભગવાન નહીં તો ટેકનોલોજીની ત્રીજી આંખ તો જોઈ જ રહી હોય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

AMC Gujarati News ahmedabad helpline number ગુજરાતી ન્યૂઝ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ