બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / akhilesh yadav claims lord krishna comes every night in my dream says sp government will be formed in up

રાજકારણ / રોજ રાતે ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને એક જ વાત કહે છે કે... : અખિલેશ યાદવ

Published By: Dharmishtha

Last Updated: 10:50 AM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખિલેશ યાદવે દાવો કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ દરેક રાતે પોતાના સપનામાં આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે.

  • અખિલેશ યાદવે દાવો કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ રોજ તેમના સપનામાં આવે 
  • શ્રી કૃષ્ણ અખિલેશને સપનામાં કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે
  • અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાનો સાધ્યો

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે કહ્યું કે સમાજવાદનો રસ્તો જ હકિકતમાં રામરાજ્યનો રસ્તો છે. અખિલેશ યાદવે દાવો કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ દરેક રાતે પોતાના સપનામાં આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે. 

સપનામાં અખિલેશને ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે?

અખિલેશ યાદવે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને કાલે પણ આવ્યા હતા. રોજ આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ અનેક વાર રામરાજ્યની વાત કરે છે, પરંતુ હકિકતમાં સમાજવાદનો રસ્તો રામ રાજ્યનો રસ્તો છે. જે દિવસે સંપૂર્ણ  રીતે સમાજવાદી લાગૂ થઈ જશે તે દિવસે રામરાજ્ય શરુ થઈ જશે.

 

અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાનો સાધ્યો

સપા સુપ્રીમો અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાનો સાધતા કહ્યું કે તેમની પર ગંભીર ઘારાઓમાં મામલા નોંધાયા છે ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવી દીધા છે. ભાજપના અનેક નેતા જો વુદ્ધ છે. જે અનેક વર્ષોથી લોહી પરસેવો વહેવડાવીને પાર્ટી મજબૂત કરી રહ્યા હતા. તેઓ અનેક વાર કહે છે કે અમે લોહી પરસેવો વહેવડાવીયે છીએ ખબર નહીં આ લોકો ક્યાંથી આવ્યા. જેમને અમારી ઉપર બેસાડી દેવામાં આવ્યા છે.

આપણા સીએમ ફેલ થઈ ગયા છે- અખિલેશ

સીએમ યોગીના વિધાનસભા ચૂંટણી લડવા પર અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે તે જનતાની વચ્ચે જાય ત્યારે પુછજો કે રોજગાર આપવા અને ખેડૂતોની આવકને બેગણી કરવા સહિત તમામ વાયદા કેમ પુરા નથી થયા. તમામ લોકો જાણતા હશે કે જ્યારે દિકરો પરીક્ષામાં પાસ ન થઈ રહ્યો હોય તો અનેક વાર મા-બાપ અને કાકા થોડી નકલ કરાવવા માટે જાય. આપણા સીએમ ફેલ થઈ ગયા છે. હવે તેમને કોઈ પાસ ન કરાવી શકે. જે લોકો તેમને પાસ કરાવવા આવે છે તે પણ તેમને પાસ નહીં કરાવી શકે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Akhilesh yadav Lord Krishna uttar pradesh અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ Akhilesh Yadav

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ