બ્રેકિંગ ન્યુઝ
અમેરિકા અને ડેન્માર્કના લાખો લોકોના ડેટાનો અભ્યાસકર્યા બાદ વિજ્ઞાનીઓ આ તારણ પર આવ્યા છે. લંડનની કિંગ્સ કોલેજના વિજ્ઞાની હેલન ફિશર કહે છે કે આ દિશામાં પહેલા કોઇ ઠોસ સંશોધન થયા નથી. વિજ્ઞાનીઓએ લોકો કયા વિસ્તારમાં રહે છે અને ત્યાં વસતીની ગીચતા તેમ જ એર પોલ્યુશનનું પ્રમાણ કેટલું છે તે બધી વિગતોનો આધાર લીધો હતો.
ADVERTISEMENT

હવામાં રહેલા અતિ સુક્ષ્મ પાર્ટિકલ્સ મગજની રક્ષણાત્મક સિસ્ટમ (બ્લડ બ્રેઇન બેરિયર)ને પણ પાર કરીને તેના કોષોમાં ઘુસી જાય છે. પોલ્યુશનના કારણે શરીરમાં થતા ઇન્ફલેમેશનની અસર પણ સ્ટ્રેસ સામે મગજના રિસ્પોન્સ પર થાય છે.
ADVERTISEMENT
વિજ્ઞાનીઓ માને છે કે પોલ્યુશનથી મગજના કેમિકલમાં ફેરફાર થાય છે. જેના કારણે માનસિક બિમારી વધે છે. આ દિશામાં વધુ સંશોધનથી માનસિક બિમારીઓના ઇલાજની પણ નવી દિશા મળી શકે છે. કેટલાક દર્દીઓને પોલ્યુશનયુકત વાતાવરણથી બચાવવાથી પણ તેની બિમારી ઠીક થઇ જશે. તેમ જ લાંબો સમય દવાઓ લેવાની પણ જરુર નહીં રહે.

ADVERTISEMENT
અત્રે ઉલ્લ્ખનીય છે કે ભારતમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં પોલ્યુશનની સમસ્યા ગંભીર બની રહી છે. અમદાવાદ જેવા શહેર કે જયાં સતત ધુળ ઉડતી હોય છે ત્યાં ડસ્ટ પાર્ટિકલ્સનું પ્રમાણ ઘણીવાર ભયજનક રીતે ઉંચું જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.