બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Dinesh
Last Updated: 08:26 PM, 14 January 2024
ઉત્તરાયણના પવિત્ર તહેવારને લઈ અમદાવાદમાં ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે તો બીજી તરફ 35 જેટલા કોલમાં ફાયર વિભાગને પણ મળ્યા હતાં. આપને જણાવીએ કે, અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે, 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2792 કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે કેસ વધુ નોંધાયા છે.
ઇમર્જન્સી કોલમાં વધારો
અમદાવાદમાં ઉતરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે. 108માં 2,792 કેસ નોંધાયા છે. જેમાં દોરી વાગવા, અકસ્માતના પણ બનાવો નોંધાયા છે, તો બીજી તરફ કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 1,327 કોલ આવ્યા છે. જેમાં 834 પશુ અને 439 પક્ષીને ઈજા થયાના કોલ આવ્યા હતાં.
દોરી વાગવાના બનાવો
રાજ્યમાં અનેક લોકોને દોરી વાગવાના પણ બનાવો નોંધાયા છે. આપને જણાવીએ કે, રાજ્યમાં દોરી વાગવાના 66 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 27, વડોદરા 7, સુરત 7, ભાવનગર અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. બાકીના શહેરમાં ક્યાંક 3 તો ક્યાંક 2 તો મોટા ભાગના સ્થળે 1 કેસ નોંધાયા છે. તો રોડ અકસ્માતમાં 513 કેસ નોંધાયા છે. સૌથી વધુ 99 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
વાંચવા જેવું: છેલ્લા 30 વર્ષથી દર ઉત્તરાયણથી લંડનથી ગુજરાત આવે છે સલીમભાઈ: લખનૌ-કોલકાતાથી મંગાવે છે પતંગ
35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી કરી
અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન ફાયર બ્રિગેડને પણ ખાસા એવા કોલ મળ્યા હતાં. 35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી પણ કરી છે. જેમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને બચાવવામાં આવ્યા હતું. હજુ પણ આ આંકડો વધે તેવી શકયતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime