બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adopt these 5 remedies in your lifestyle from today
Last Updated: 08:56 AM, 24 January 2024
ADVERTISEMENT
સવાર-સવારમાં પેટ સાફ ન થાય તો લોકો આખો દિવસ પરેશાન રહે છે. ઘણીવાર પેટ સાફ ન થવાની સમસ્યા કબજિયાતમાં ફેરવાઈ જાય છે અને ધીમે-ધીમે પાઈલ્સ, અલ્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે. આવી સ્થિતિમાં દરરોજ પેટ સાફ થવું ખૂબ જ જરૂરી છે. જાણો પેટ સાફ કરવાની 5 કુદરતી અને અસરકારક રીતો વિશે.

ADVERTISEMENT
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન
પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર હાઇડ્રેટેડ રહેવું એ સારું પાચન જાળવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. શિયાળાની ઋતુમાં તમે હૂંફાળું પાણી પી શકો છો. તેનાથી પાચનતંત્ર સુધરશે. હૂંફાળા પાણીમાં થોડું મીઠું ઉમેરીને પીવાથી પણ પેટ સાફ થાય છે.

ADVERTISEMENT
ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ
પેટ સાફ કરવા અને કબજિયાતથી રાહત મેળવવા માટે ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળો, શાકભાજી, અનાજ, ડ્રાઈ ફ્રૂટ્સ અને બીજમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. પપૈયા, કેળા, સફરજન, નારંગી, રાસબેરી, બ્રોકોલી, લીલા વટાણા, બટાકા, ગાજર વગેરે સેવન કરીને પેટ સાફ રાખી શકાય છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: ભલભલી પથરીના ભૂક્કા બોલાવી દેશે આ ચીજ, નહીં પડે ઓપરેશનની જરૂર!
ફળો અને શાકભાજીનો રસ
ફળો અને શાકભાજીનો રસ કોલોન એટલે કે મોટા આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો સફાઇનું કામ કરે છે અને પેટમાં જમા થયેલી ગંદકીને બહાર ફેંકી દે છે. કબજિયાતના દર્દીઓ માટે ફળ અને શાકભાજીનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો ફળોનો રસ પીતા પહેલા ડાયેટિશિયન અથવા ડોક્ટરની સલાહ લો.
ADVERTISEMENT

અળસીના બીજ
પેટ સાફ કરવામાં અળસીના બીજ ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે. અળસીના બીજનો ઉપયોગ કબજિયાતની પરંપરાગત સારવાર તરીકે થાય છે. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. તમે અળસીના બીજને આખા ખાઈ શકો છો અથવા તેનો પાવડર બનાવી શકો છો.
ADVERTISEMENT

દેશી ઘી
સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં મતે પેટ સાફ કરવા માટે લોકોએ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને પીવું જોઈએ. આ પછી 30 મિનિટ વોક કરો. આમ કરવાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે અને તમે જૂની કબજિયાતથી પણ છુટકારો મેળવી શકશો. તમે આ લાંબા સમય સુધી કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને લાભ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.