બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adopt these 5 remedies in your lifestyle from today
Pooja Khunti
Last Updated: 08:56 AM, 24 January 2024
સવાર-સવારમાં પેટ સાફ ન થાય તો લોકો આખો દિવસ પરેશાન રહે છે. ઘણીવાર પેટ સાફ ન થવાની સમસ્યા કબજિયાતમાં ફેરવાઈ જાય છે અને ધીમે-ધીમે પાઈલ્સ, અલ્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે. આવી સ્થિતિમાં દરરોજ પેટ સાફ થવું ખૂબ જ જરૂરી છે. જાણો પેટ સાફ કરવાની 5 કુદરતી અને અસરકારક રીતો વિશે.
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન
પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર હાઇડ્રેટેડ રહેવું એ સારું પાચન જાળવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. શિયાળાની ઋતુમાં તમે હૂંફાળું પાણી પી શકો છો. તેનાથી પાચનતંત્ર સુધરશે. હૂંફાળા પાણીમાં થોડું મીઠું ઉમેરીને પીવાથી પણ પેટ સાફ થાય છે.
ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ
પેટ સાફ કરવા અને કબજિયાતથી રાહત મેળવવા માટે ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળો, શાકભાજી, અનાજ, ડ્રાઈ ફ્રૂટ્સ અને બીજમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. પપૈયા, કેળા, સફરજન, નારંગી, રાસબેરી, બ્રોકોલી, લીલા વટાણા, બટાકા, ગાજર વગેરે સેવન કરીને પેટ સાફ રાખી શકાય છે.
વાંચવા જેવું: ભલભલી પથરીના ભૂક્કા બોલાવી દેશે આ ચીજ, નહીં પડે ઓપરેશનની જરૂર!
ફળો અને શાકભાજીનો રસ
ફળો અને શાકભાજીનો રસ કોલોન એટલે કે મોટા આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો સફાઇનું કામ કરે છે અને પેટમાં જમા થયેલી ગંદકીને બહાર ફેંકી દે છે. કબજિયાતના દર્દીઓ માટે ફળ અને શાકભાજીનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો ફળોનો રસ પીતા પહેલા ડાયેટિશિયન અથવા ડોક્ટરની સલાહ લો.
અળસીના બીજ
પેટ સાફ કરવામાં અળસીના બીજ ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે. અળસીના બીજનો ઉપયોગ કબજિયાતની પરંપરાગત સારવાર તરીકે થાય છે. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. તમે અળસીના બીજને આખા ખાઈ શકો છો અથવા તેનો પાવડર બનાવી શકો છો.
દેશી ઘી
સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં મતે પેટ સાફ કરવા માટે લોકોએ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને પીવું જોઈએ. આ પછી 30 મિનિટ વોક કરો. આમ કરવાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે અને તમે જૂની કબજિયાતથી પણ છુટકારો મેળવી શકશો. તમે આ લાંબા સમય સુધી કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને લાભ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime