ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગૌતમ અદાણી ગ્રુપની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડે મીડિયા હાઉસ NDTV માં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે.અદાણી ગ્રુપ NDTV એટલે કે નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડમાં 26 ટકા ભાગીદારી અધિગ્રહણ કરશે. તો વળી ખુલી ઓફર દ્વારા એનડીટીવીમાં 29.18 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરશે. આવી રીતે અદાણી ગ્રુપની કુલ ભાગીદારી 55 ટકાથી વધારે થઈ જશે અને તે મીડિયા કંપનીમાં મેડર સ્ટેકહોલ્ડર કહેવાશે. આ ડીલ લગભગ 495 કરોડ રૂપિયાની હોવાની આશા છે.
Adani Group to purchase 29.18% stake in media group NDTV. pic.twitter.com/XMUUc4gUzK
— ANI (@ANI) August 23, 2022
ADVERTISEMENT
શું કહ્યું સંજય પુગલિયાએ-
ADVERTISEMENT
એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડના સીઈઓ અને સીનિયર જર્નલિસ્ટ સંજય પુગલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, આ અધિગ્રહણ મીડિયા ઈંડસ્ટ્રીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. અમે ભારતીય નાગરિક, ગ્રાહકો અથવા ભારતમાં રસ દાખવનારાને સૂચના અને જ્ઞાન સાથે સશક્ત બનાવવા માગીએ છીએ. એનડીટીવી અમારા દ્રષ્ટિકોણને પુરા કરવા માટે સૌથી કારગર પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચાર વિતરણમાં NDTVના નેતૃત્વને મજબૂત કરવા માટે તત્પર છીએ.
આ વાતની જાણકારી જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડે કરી છે, જે અદાણી ગ્રુપ તરફથી ઓફરને મેનેજ કરી રહ્યા છે. ઓફરમાં કહેવાયુ છે કે, સેબી રેગ્યુલેશન 8(2)માં જે કિંમત નિર્ધારિત છે. તેનાથી વધારે ઓફર પ્રાઈસની રજૂઆત કરવામાં આવી છે. મંગળવારે એનડીટીવીના શેર બીએસઈમાં 366.20 રૂપિયા રહ્યા, જે પાછા ફાઈનાન્સિયલ દિવસોથી 2.61 ટકા વધારે છે. કંપનીની આવક નાણાકીય વર્ષ 2021-22માં 230.91 કરોડ રૂપિયા હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો