ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A house caught fire at midnight in Anjar, the lives of 3 members were barely saved

તરકટ / કચ્છમાં ઘરમાં આગ લગાવી આખા પરિવારને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ, કારણ ચોંકાવનારું

Published By: Khyati

Last Updated: 11:41 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના અંજારમાં અડધી રાતે ઘરને આગચંપી કરીને ફરાર, ઘરમાં સૂતેલા પરિવારના 3 સભ્યો માંડ માંડ બચ્યા

ADVERTISEMENT

  • કચ્છના અંજારમાં એક પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ
  • અંજારના ખોખરા ગામે મકાનને લગાવવામાં આવી આગ
  • પરિવારના 3 સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે લગાવી આગ
     

કચ્છના અંજારમાં એક પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. અંજારના ખોખરા ગામનો આ બનાવ છે. ગામના એક મકાનને આગ લગાવવામાં આવી જેમાં પરિવારના 3 સભ્યો સૂતા હતા. જો કે બુમાબુમ થતા પિતા આવી જતા ત્રણેય સભ્યોનો બચાવ થયો હતો.  ઘટનાને પગલે પરિવારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. 

અંગત અદાવતમાં ઘર સળગાવ્યું

ઘટના પાછળનું કારણ અને જવાબદાર કોણ તે જાણી શકાયું નથી પરંતુ પ્રેમ લગ્નની અદાવતમાં પરિવારને સળગાવવાનો પ્રયાસ થયો  હોવાની પરિવારે આશંકા સેવી છે.  10 મહિના પહેલા જ પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે હાલમાં ત્રણેયને ભૂજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પરિવારના સભ્યએ વાત કરતા જણાવ્યું કે 29 તારીખે રાતે બે વાગે આ ઘટના બની. જે વિરોધ પક્ષે કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી. મારા બે છોકરા અને ઘરવાળીને મારી નાંખવાનો પ્રયત્ન હતો. 

 

10 મહિના પહેલા પુત્રએ કર્યા હતા પ્રેમલગ્ન

ઘટનાને પગલે અંજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં પરિવારનું નિવેદન લઇને શંકાસ્પદ સામે સકંજો કસ્યો છે. આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

અંગત અદાવત અંજાર ઘર સળગાવ્યું પ્રેમ લગ્ન Kutch

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ