વલસાડમાં એક જ પરિવારના 4 લોકોએ ઉંઘની દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ, આર્થિક ભીંસમાં આવીને ભર્યુ આ પગલું
વલસાડમાં એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાતનો પ્રયાસ
મોગરવાડીમાં પરિવારના 4 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા
અગમ્ય કારણોસર પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ
છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે. ક્યાંક આર્થિક તો ક્યાંક માનસિક રીતે ત્રસ્ત થઇને લોકોને આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. પરંતુ આપઘાત એ કોઇ પણ સમસ્યાનો ઉકેલ નથી. વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં નાપાસ થતા મોતને વ્હાલુ કરી લે છે. ત્યારે આ વધતી આપઘાતની બાબતો ઘણી ચિંતા જનક છે. ત્યારે વલસાડમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો.
ઉંઘની દવાપીને આપઘાતનો કર્યો પ્રયાસ
વલસાડમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો. મોગરવાડીમાં પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી. અગમ્ય કારણોસર પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો. ઝેરથી અસરગ્રસ્ત તમામ સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વલસાડના મોગરાવાડી રહેતા એક પરિવારે
ઉંઘની દવા ઘટઘટાવી લીધી. તેમની મુંબઇ રહેતી દિકરીએ વારંવાર ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇએ ફોન રિસીવ ન કરતા નજીકમાં રહેતા સંબંધીને જાણ કરી હતી. તેઓએ ઘરે આવીને જોતા ચારેય લોકોએ ઉંઘની દવા પીધી હોવાનું સામે આવ્યું હતું,
હોસ્પિટલમાં કરાયા દાખલ
ઘટનાને પગલે ચારેય લોકોને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડીની વધુ તપાસ હાથ ધરી છે. બ્રાહ્મણ પરિવારના ચારેય સભ્યોએ આર્થિક ભીંસમાં આવીને આ પગલું ભર્ય. ઘટનાને પગલે પરિજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.