બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / ભારત / Politics / અમદાવાદ / 2 leaders of Gujarat Congress have been entrusted with important responsibility by AICC, Deepak Babria has been appointed as General Secretary of AICC.
Dinesh
Last Updated: 11:52 AM, 24 December 2023
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ઘણા રાજ્યોના પ્રભારીઓ બદલ્યા છે. તો કેટલાક નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાઓને કોંગ્રેસના હાઈકમાન્ડે મહત્વની જવાબદારી સોંપી છે. દિપક બાબરિયાની AICCના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે તેમજ દિલ્હી અને હરિયાણાના સંગઠનની પણ જવાબદારી સોપાઈ છે. જ્યારે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વધુમાં આપને જણાવી દઈએ કે, મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
AICCએ મહત્વની જવાબદારી સોંપી
ગુજરાત કોંગ્રેસના 2 નેતાઓને લોકસભાની ચૂંટણીને લઈ AICCએ મહત્વની જવાબદારી સોંપી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ ચહેરા ભરતસિંહ સોલંકી અને દિપક બાબરિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવાયા છે જ્યારે દિપક બાબરિયાની AICCના મહામંત્રી તરીકે તેમજ દિલ્હી અને હરિયાણાના સંગઠનની પણ જવાબદારી અપાઈ છે.
સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપાઈ
વધુમાં આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી વાડ્રાને યુપી કોંગ્રેસના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા છે. જો કે તેઓ મહાસચિવના પદ પર રહેશે. પ્રિયંકાના સ્થાને અવિનાશ પાંડેને યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ સચિન પાયલટને છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જયરામ રમેશ કોમ્યુનિકેશન, મુકુલ વાસનિકને સંગઠનના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
16 સભ્યોની મેનિફેસ્ટો કમિટિની પણ રચના, ચિદમ્બરમ છે પ્રમુખ,
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે. આ 16 સભ્યોની સમિતિમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જયરામ રમેશ અને શશિ થરૂર પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime