માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે સવારે પીપળાના ઝાડમાં પાણી અર્પિત કરવાથી મનને શાંતિ થાય છે. શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડમાં પાણી અર્રિત કરવા અને પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઇએ..
સદીઓથી શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે
વિશેષ દિવસે પીપળાની પૂજા કરવામાં આવે તો તમામ મતભેદ ખતમ થશે
ભારતીય સંસ્કૃતિમાં પુરાણ, પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં પીપળાની પૂજાને ખૂબ ચમત્કારી માનવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. કોઇ વિશેષ દિવસે પીપળાની પૂજા કરવામાં આવે તો તમામ આર્થિક, માનસિક અને ઘરેલૂ સમસ્યાઓનું નિદાન થઇ જાય છે. આ કારણે સદીઓથી શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે.
મનને મળે છે શાંતિ
માન્યતાઓ અનુસાર શનિવારના દિવસે સવારે પીપળાના ઝાડમાં પાણી અર્પિત કરવાથી મનને શાંતિ થાય છે. શનિવારના દિવસે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડમાં પાણી અર્રિત કરવા અને પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઇએ..
આ વિધિથી કરો પૂજા
શનિવારના દિનસે સવારે ઊઠીને સ્નાન વગેરે કરીને શનિદેવની વિધિવત પૂજા કરો. ત્યારબાદ પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવો, ત્યારબાદ પીપળના ઝાડના થોડા પાન તોડીને પૂજા કરો. માન્યતાઓ અનુસાર પીપળાના પાનની પૂજા કરવાથી ઇષ્ટદેવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
પર્સમાં રાખો પાન
પૂજા કરેલા પાનને પોતાના પર્સ અથવા તિજોરીમાં રાખો. થોડાક સપ્તાહ સુધી સતત આ કામ કરો.