ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીનો હોય છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અને તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે. હનુમાનજી આ કળયુગમાં જાગ્રત દેવ છે અને એની પૂજા ખૂબ જ સરળ છે.
મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે
હનુમાનજીની કૃપા મેળવવા માટે દરરોજ શ્રી રામ નામનો જાપ કરવો જોઇએ
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી પર હનુમાનજીની કૃપા વરસે છે અને હનુમાનજીની કૃપાથી આપણા તમામ કષ્ટ દૂર થઇ જાય છે. નિત્ય હનુમાન ચાલીસાના પાઠથી તમામ મનોરથ સિદ્ધ થઇ જાય છે. મંગળવારના દિવસે સવારે ઊઠીને સ્નાન વગેરે કર્યા બાદ મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇ, હનુમાન ચાલીસાના પાઠમાં એવો કોઇ વિશેષ નિયમ નથી. તમે ક્યારેય પણ હનુમાનજીનો પાઠ કરી શકો છો.
મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે. સમસ્ત રોગોથી મુક્તિ માટે આ દિવસે સુંદરકાંડ પાઠ કરવા જોઇએ. સુંદરકાંડના પાઠ અનેક લાભ આપે છે. જો તમારામાં આત્મવિશ્વાસની કમી છે તો તમારે દરેક સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર એક નવી સકારાત્મક ઊર્જાનો સમાવેશ થાય છે.
હનુમાનજીની કૃપા મેળવવા માટે દરરોજ શ્રી રામ નામનો જાપ કરવો જોઇએ. ભગવાન રામના નામનો જાપ સૌથી સરળ રીત છે હનુમાનડીની કૃપા પ્રાપ્ત કરવાનો.તમે ગમે ત્યારે પણ ભગવાન રાનો નામનો જાપ કરી શકે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે. એવું કહેવામાં આવે છે કે મંત્રોમાં ભગવાનની શક્તિ સમાયેલી હોય છે.