બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 PM, 14 April 2026
Trump on Pope Leo XIV : વૈશ્વિક રાજકારણ અને ધાર્મિક નેતૃત્વ વચ્ચેનો તણાવ ત્યારે વધુ ઊભર્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પોપ લીઓ XIV વચ્ચે તીખી શબ્દયુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ. આ વિવાદે અમેરિકા અને વેટિકન સિટી વચ્ચેના સંબંધોમાં અનોખું તણાવ ઊભું કર્યું છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે શું છે સમગ્ર મામલો અને હવે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પનું શું કહેવું છે ?
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો ?
આ વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોપ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી. તેમણે પોપના શાંતિ અને સંવાદના સંદેશને અપ્રભાવકારક ગણાવ્યો અને તેમને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી. સાથે સાથે, ટ્રમ્પે પોતાના શાસનકાળ દરમિયાન અમેરિકામાં ગુનાખોરી ઘટી અને અર્થતંત્ર મજબૂત બન્યું હોવાનો દાવો કરીને પોતાની નીતિઓનું સમર્થન કર્યું.
ADVERTISEMENT
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પોપ લિયોની પ્રતિક્રિયા #DonaldTrump #PopeLeo #GlobalPolitics #USPolitics #InternationalNews #BreakingNews #WorldNews #Trending #VTVDigital pic.twitter.com/Z8TCtldmR3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2026
વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ પોપ લીઓની માફી માંગવા તૈયાર નથી. તેમણે પોપના વિચારોને નબળા ગણાવતા કહ્યું કે, વૈશ્વિક સુરક્ષા અને ગુનાખોરી જેવા મુદ્દાઓ પર તેમનું વલણ યોગ્ય નથી. ખાસ કરીને ઈરાનના પરમાણુ મુદ્દે ટ્રમ્પે કડક અભિગમ વ્યક્ત કર્યો અને પોપના શાંતિપૂર્ણ અભિગમની ટીકા કરી.
ADVERTISEMENT

બીજી તરફ પોપ લીઓ XIVએ આ વિવાદમાં સીધો પ્રતિસાદ આપવાનો ટાળ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ રાજકીય ચર્ચામાં જોડાવા ઇચ્છતા નથી અને વિશ્વમાં શાંતિ તથા સંવાદ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. પોપે ખાસ ભાર મૂક્યો કે, યુદ્ધને ટાળવું અને માનવતા માટે સહઅસ્તિત્વ જરૂરી છે. તેમનું માનવું છે કે ધર્મને રાજકીય હિતો માટે ઉપયોગમાં લેવો યોગ્ય નથી.
ADVERTISEMENT
Honoring Pope Leo’s fearless stand!
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 13, 2026
“I have no fear” echoes as he condemns the war crimes of Israel and the US.
This slogan lights the path for all who refuse to stay silent on the killing of innocents.@Pontifex leadership inspires millions – thank you for this light!
આ પણ વાંચો : નેપાળના PMએ સ્વીકાર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ, પ્રથમ વાર આવશે ભારત
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં મોહમ્મદ બાકર કાલિબાફએ પોપના વલણની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે પોપને નિર્ભય અને નૈતિક અવાજ તરીકે વર્ણવ્યા અને યુદ્ધ તથા હિંસા સામે બોલવાની હિંમત માટે તેમની સરાહના કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.