બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / આરોગ્ય / World Vegan Day everything you need to know about pros and cons of veganism health news
Arohi
Last Updated: 08:32 AM, 1 November 2023
લોકોને પ્લાંટ બેસ્ડ ભોજનના ફાયદા વિશે જણાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 1 નવેમ્બરે વર્લ્ડ વીગન ડે ઉજવવામાં આવે છે. ફિટનેસ ફ્રિક લોકોની વચ્ચે હાલ વિગન ડાયેટનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વીગન ડે પહેલી વખત 1994માં ઉજવવામાં આવ્યો હતો. હેલ્ધી રહેવા માટે ભોજનનું હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે.
પ્લાન્ટ બેસ્ડ ડાયેટને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. આ પ્રકારની ડાયેટમાં ફાઈબર વધારે અને કોલેસ્ટ્રોલ ઓછુ હોય છે. જેમાં ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. પરંતુ તેનાથી ઘણા પોષક તત્વોની કમી પણ થઈ શકે છે. આવો જાણીએ વીગન ડાયેટના આવા જ ફાયદા અને નુકસાન વિશે.
વીગન ડાયેટના ફાયદા
હાર્ટ હેલ્ધ
શાકાહારી ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ્સ ઓછી હોય છે. જેનાથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહે છે.
વજન પર નિયંત્રણ
શાકાહારી ભોજન વજન ઓછુ કરવા અને તેને મેન્ટેઈન રાખવામાં મદદ કરે છે કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે.
કેન્સરનો ખતરો ઘટાડે
અમુક સ્ટડીઝથી સંકેત મળ્યા છે કે શાકાહારી ભોજનથી ઘણા પ્રકારના કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે. જેમ કે કોલોરેક્ટલ કેન્સર.
બ્લડ શુગરમાં નિયંત્રણ
શાકાહારી ભોજનથી બ્લડ-શુગર સામાન્ય રહે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
પાચન રહે છે સ્વસ્થ્ય
શાકાહારી ભોજનમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.
વીગન ડાયેટના નુકસાન
પોષક તત્વોની કમી
શાકાહારી ભોજનથી વિટામિન બી-12, વિટામિન-ડી, કેલ્શિયમ, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ્સની કમીનો ખતરો રહે છે. એવામાં ઉચિત સપ્લીમેન્ટ્સ લેવા જરૂરી છે.
પ્રોટીનની કમી
શાકાહારી લોકોના શરીરમાં હાઈ ક્વોલિટી પ્રોટીનની કમી રહી શકે છે. તેમને છોડથી મળતા પ્રોટીન્સને ખૂબ સંતુલિત માત્રામાં લાવવાની જરૂર પડી શકે છે.
ઓછી કેલેરી
અમુક લોકોને શાકાહારી ભોજનથી જરૂરી કેલેરી નથી મળતી. જેનાથી તેમનામાં ઉર્જાની કમી જેવી સમસ્યા થઈ શકે છે.
ભોજન રાંધવાનો પડકાર
પ્લાન્ટ બેઝ ભોજન રાંધવા માટે સામાન્ય રીતે વધારે તૈયારીની જરૂર પડે છે. કારણ કે અમુક જગ્યાઓ પર જ આ વસ્તુઓ મર્યાદીત પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ