બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા રિક્ષાચાલકે આપઘાત કર્યો, સારવાર દરમિયાન મોત
Last Updated: 11:07 PM, 20 June 2026
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરીના કથિત ત્રાસથી કંટાળીને 55 વર્ષીય રિક્ષાચાલકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
ADVERTISEMENT
મૃતકની ઓળખ રાજુભાઈ ઠાકોર તરીકે થઈ છે. જે કલાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા હતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 17 જૂને તેમણે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ADVERTISEMENT
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રાજુભાઈએ માંજલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી આશરે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ નિયમિત રીતે વ્યાજ ચૂકવતા હતા, પરંતુ તાજેતરમાં વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થતાં તેમને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
ADVERTISEMENT

મૃતકના પુત્ર સાગર ઠાકોરના જણાવ્યા મુજબ, એક દિવસ તેમના પિતાને રસ્તામાં રોકી તેમને માંજલપુર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઉપરાંત, તેમના પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટનાથી વ્યથિત થઈ રાજુભાઈ ઘરે પરત ફર્યા બાદ ઝેરી દવા પી લીધી હતી.
ADVERTISEMENT
પરિવારજનોએ સમગ્ર ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરી છે. બીજી તરફ અટલાદરા પોલીસે પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રાહદારીએ બચાવ્યો યુવકનો જીવ, આપઘાતનો પ્રયાસ નિષ્ફળ
ADVERTISEMENT
પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.