બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:31 PM, 20 June 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમબંગ દિવસના ઐતિહાસિક અવસરે બંગાળની જનતાને સંબોધિત કરતા એક નવો આશાવાદ જગાવ્યો છે. તારકેશ્વર ખાતે આયોજિત એક ભવ્ય સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાને પશ્ચિમ બંગાળના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ભાવુક અને આક્રમક અંદાજમાં પીએમ મોદીએ જણાવ્યું કે, "બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે. અહીંના કણ-કણમાંથી એક નવી સુગંધ આવી રહી છે. એવું લાગી રહ્યું છે જાણે બંગાળ હવે વર્ષોની રાજકીય બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે અને બંગાળના ખોવાયેલા ગૌરવને પરત લાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં પૂરી તાકાતથી જુટી ગયું છે."
ADVERTISEMENT
PM Shri @narendramodi addresses Paschimbanga Divas celebrations in Tarakeswar, West Bengal. https://t.co/UQuTl1mNby
— BJP (@BJP4India) June 20, 2026
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ધરતી પરથી દેશભરના ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ'નો 23rd હપ્તો સત્તાવાર રીતે જાહેર કર્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યના ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે પશ્ચિમ બંગાળમાં 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' શરૂ કરવાની મોટી જાહેરાત પણ કરી હતી. રેલવે ક્ષેત્રે વિકાસને વેગ આપતા પીએમ મોદીએ હાવડા જિલ્લામાં 'સંકરૈલ-સંતરાગાછી લિંક લાઈન પ્રોજેક્ટ' દેશને સમર્પિત કર્યો હતો. આ ઉપરાંત, હાવડામાં 300 બેડની ક્ષમતા ધરાવતી નવી 'ડિવિઝનલ રેલવે હોસ્પિટલ' નો શિલાન્યાસ કર્યો હતો અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં હૌર અને રાધામોહનપુર વચ્ચે નવા 'રોડ ઓવર બ્રિજ'નો પાયાનો પથ્થર મૂક્યો હતો.
There is a new freshness in Bengal’s air.
— BJP (@BJP4India) June 20, 2026
It feels as though Bengal has finally broken free from its chains.
It seems that the restoration of Bengal’s glory has now begun.
Today’s event and the launch of these projects are a testament to the fact that Bengal has set out on the… pic.twitter.com/LG3bIJaEEz
ADVERTISEMENT
પોતાના સંબોધનમાં ઇતિહાસના પાનાઓ ખોલતા વડાપ્રધાને જણાવ્યું કે, વિભાજન સમયે કેટલાક ભારત વિરોધી તત્વો આખેઆખા બંગાળને પાકિસ્તાનનો હિસ્સો બનાવવા માંગતા હતા અને તત્કાલીન કોંગ્રેસે તેમની સામે ઘૂંટણ ટેકી દીધા હતા. આવા કપરા સમયે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ મજબૂત અવાજ ઉઠાવ્યો હતો અને જાહેરાત કરી હતી કે સમગ્ર બંગાળ પાકિસ્તાનમાં નહીં જાય. આ માટે તેમણે 'બંગાળી હિન્દુ હોમલેન્ડ મૂવમેન્ટ' શરૂ કરી હતી. આ આંદોલનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે મેઘનાદ સાહા, આર.જી. મજુમદાર, યદુનાથ સરકાર જેવા પ્રબુદ્ધ લોકો અને જી.ડી. બિરલા જેવા મોટા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આ આંદોલનના કારણે જ પશ્ચિમ બંગાળ ભારતમાં સુરક્ષિત રહ્યું, પરંતુ આઝાદી પછી સત્તાધારી પક્ષોએ રાજકીય એજન્ડા અને તુષ્ટિકરણના કારણે આ ગૌરવશાળી ઇતિહાસનો 'વ્હાઇટવોશ' કરી નાખ્યો.
ADVERTISEMENT
These projects related to railways, roads, agriculture, and fisheries will give new momentum to Bengal’s development.
— BJP (@BJP4India) June 20, 2026
These projects will strengthen the rural economy of the region.
- PM @narendramodi pic.twitter.com/bItH0ftIhD
ADVERTISEMENT
પીએમ મોદીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, પહેલાં કોંગ્રેસ, પછી લેફ્ટ (ડાબેરીઓ) અને ત્યારબાદ TMC એ બંગાળને સંવારવાના બદલે તેને ગેરકાયદેસર ઘૂસણખોરોનો અડ્ડો બનવા દીધો. જે બંગાળ ક્યારેય ભારતના વિકાસનું નેતૃત્વ કરતું હતું, તે દાયકાઓના કુશાસનને કારણે ઘણું પાછળ ધકેલાઈ ગયું. જૂની સરકારોના કારણે મોટા ઉદ્યોગો અહીંથી પલાયન કરી ગયા, રોજગારી છીનવાઈ ગઈ અને સંસાધનો પર ઘૂસણખોરોએ કબજો જમાવી લીધો. વડાપ્રધાને જનતાનો આભાર માનતા કહ્યું કે, આ નકારાત્મક વાતાવરણમાં બંગાળની જનતાએ ટીએમસી સરકારને બદલવાનો સંકલ્પ લીધો અને ભાજપને રેકોર્ડ મતોથી વિજયી બનાવીને આશીર્વાદ આપ્યા. દેશ અત્યારે આ બદલાવના સકારાત્મક પરિણામો જોઈ રહ્યો છે.
बंगाल में दशकों तक पहले लेफ्ट और फिर टीएमसी ने जो गड्ढे बनाए, उसे भरने के लिए डबल इंजन की सरकार ने सुपर-फास्ट स्पीड से काम करना शुरु कर दिया है।
— BJP (@BJP4India) June 20, 2026
बिजली की रफ्तार से फैसले हो रहे हैं। रुकी हुई योजनाओं पर काम आगे बढ़ने लगा है।
आज यहां सैकड़ों करोड़ रुपए की विकास परियोजनाओं का… pic.twitter.com/Nez6Xfabk4
ADVERTISEMENT
રાજ્યની કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા પીએમ મોદીએ દાવો કર્યો કે, ભૂતકાળમાં સીમા પર ફેન્સિંગ લગાવવા માટે તત્કાલીન સરકારે જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા રોકી રાખી હતી, પરંતુ નવી વ્યવસ્થા આવતા જ તે કામ ઝડપથી શરૂ થઈ ગયું છે અને ઔદ્યોગિક રોકાણનો પાયો નખાઈ રહ્યો છે. તેમણે લલકારતા કહ્યું કે, જેમણે જનતાને લૂંટી હતી, તેમના પૈસા હવે પરત આવી રહ્યા છે. સિન્ડિકેટ ચલાવનારા લોકો જનતાની માફી માંગી રહ્યા છે. ગેરકાયદેસર વસૂલી કરનારા ગુંડાઓ નાકા છોડીને ભાગી ગયા છે. બંગાળના લોકો હવે કોઈ રોકટોક વગર મુક્તપણે હરી-ફરી રહ્યા છે. હવે બંગાળમાં 'કટમની' નો ખેલ ખતમ થઈ ગયો છે અને સાચું કામ શરૂ થયું છે.
આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
અંતમાં વડાપ્રધાને યાદ અપાવ્યું કે આવતીકાલે દેશ અને દુનિયામાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' મનાવવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે આ વર્ષે તેઓ પોતે પશ્ચિમ બંગાળમાં રહીને જ યોગ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનો હિસ્સો બનશે, જેથી બંગાળની ધરતી પરથી સમગ્ર વિશ્વને એક સકારાત્મક સંદેશ આપી શકાય. તેમણે બંગાળના દરેક ખૂણે-ખૂણે લોકોને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.