બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી, 30 થી 40 લોકો કાટમાળ નીચે દબાયા

નેશનલ / મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી, 30 થી 40 લોકો કાટમાળ નીચે દબાયા

Pravin Joshi

Last Updated: 04:54 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યશવાડી મારુતિ મંદિરમાં શનિવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. મંદિર પરિસરમાં બનેલા સભા મંડપની છત અચાનક ધરાશાયી થવાને કારણે ત્યાં હાજર શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા અતિ પ્રસિદ્ધ અને પવિત્ર 'યશવાડી મારુતિ મંદિર' પરિસરમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. શનિવારનો દિવસ હોવાથી મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, બરાબર એ જ સમયે મંદિરની બિલકુલ સામે આવેલો વિશાળ સભા મંડપ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ચીસાચીસ અને ભારે નાસભાગ મચી ગઈ હતી.

30 થી 40 શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા

સ્થાનિક સ્તરેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, જે સમયે આ સભા મંડપ તૂટી પડ્યો, ત્યારે તેની નીચે અને આસપાસ મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. આ અકસ્માતમાં અંદાજે 30 થી 40 જેટલા લોકો મંડપની છત અને પિલરોના ભારે કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, આ અકસ્માતમાં જાનહાનિ કેટલી થઈ છે અને કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેને લઈને સ્થાનિક જિલ્લા પ્રશાસન કે પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ જિલ્લા પ્રશાસન, સ્થાનિક પોલીસનો કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા માસૂમ શ્રદ્ધાળુઓને વહેલી તકે અને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અત્યારે આખા મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે જેથી બચાવ કાર્યમાં કોઈ અવરોધ ન આવે. હાઈવે અને સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હાજર ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને કાટમાળ સંપૂર્ણ હટાવ્યા બાદ જ જાનમાલના નુકસાનની સાચી અને વિગતવાર માહિતી સત્તાવાર રીતે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ParbhaniAccident MarutiTemple MaharashtraTempleCollapse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ