બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચા પીધા બાદ ફેંકી દો છો તેની પત્તી? આ રીતે યુઝ કરવાથી ચમકશે ઘર
Last Updated: 08:57 PM, 17 June 2026
સવારમાં લગભગ દરેક વ્યક્તિ ચા પીવે છે. પરંતુ ચાનો આનંદ માણ્યા બાદ સૌથી સામાન્ય કચરો બચેલ ચાની પત્તીને મોટાભાગના લોકો વિચાર્યા વગર ફેંકી દે છે. પણ આ યુઝ થયેલી ચાની પત્તીમાં ઘણા કુદરતી ગુણધર્મો અને એન્ટીઑકિસડન્ટો હોય છે જે શાનદાર ક્લીનીંગ એજન્ટ અને કન્ડિશનર તરીકે કામ કરે છે. જેમાં મોંઘા કેમિકલવાળા ક્લીનર્સ પર પૈસા ખર્ચવાને બદલે તમે તમારા કાચ, લાકડાના ફર્નિચર અને ગંદા વાસણોને નવા જેવા ચમકાવવા માટે બચેલી ચાની પત્તીનો ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
ચાની પત્તી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે તેમને છોડ, ખાસ કરીને ગુલાબ, મની પ્લાન્ટ અને તુલસી માટે શાનદાર ખાતર બનાવે છે. ધોયેલા અને સૂકા ચાની પત્તી સીધા તમારા છોડની આસપાસની જમીનમાં ભેળવી દો. જેનાથી છોડ ફૂલોથી ખીલવા લાગશે.
ADVERTISEMENT
બચેલા ચાની પત્તીને થોડા પાણીમાં ફરીથી ઉકાળો. આ પાણીને ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. બારીના કાચ, ડ્રેસિંગ ટેબલના અરીસા કે ક્રોકરી સાફ કરવા માટે તેનો ઉપયોગ કરો. તેનાથી બધું કાચની જેમ ચમકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બાફેલી ચાની પત્તીનું પાણી હૂંફાળું રાખો અને તેમાં સ્વચ્છ સુતરાઉ કાપડ પલાળી રાખો. લાકડાના ટેબલ, સોફા અથવા કબાટ સાફ કરો. આ ઝાંખા લાકડાને ચમકદાર, ફ્રેશ લુક આપે છે.
ADVERTISEMENT
સિંક અને કન્ટેનરમાંથી નોનવેજ, ડુંગળી કે લસણના વાસણોમાંથી ગંધ દૂર કરવા માટે, વધેલ ચાની પત્તીને પાણીમાં ઘસો, 2 મિનિટ માટે છોડી દો, પછી ખંગાળી દો. તેનાથી ગંધ દુર થઈ જશે.
ADVERTISEMENT
જો તમારા ઘરમાં માખીઓ અને મચ્છરો હોય તો થોડી ધોયેલી અને સૂકવેલી ચાની પત્તીને બાળી નાખો અને ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તેની ગંધ તરત જ જંતુઓ દૂર કરશે.
ઉલ્લેખનીય છે કે, બચેલા ચાની પત્તીનો ઉપયોગ કરતા પહેલા તેને 2-3 વખત પાણીથી સારી રીતે ખંગાળી દો. જેથી દૂધ અને ખાંડનો અંશ ન રહે. જો તેમાં સુગર રહી જાય તો ખાંડના લીધે કીડીઓ આવી શકે છે.આથી તેને ધોયા બાદ સૂકવી દો પછી ઉપયોગ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.