બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM-DyCMના હસ્તે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, શિક્ષણમાં ગુજરાત અગ્રેસર

ગાંધીનગર / CM-DyCMના હસ્તે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, શિક્ષણમાં ગુજરાત અગ્રેસર

Vishal Khamar

Last Updated: 07:22 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મુખ્યમંત્રી અને DyCM દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ થવા પામ્યો છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત સ્કૂલ કરીકુલમ ફ્રેમવર્ક અને સ્કૂલ ક્વોલિટી ફ્રેમવર્કનું લોકાર્પણ કરાયું હતું.

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને DYCM હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્કૂલ કરીક્યુલમ ફ્રેમવર્ક અને સ્કૂલ ક્વોલિટી ફ્રેમવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નિપુણ ગુજરાત કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં એવું લાવો કે તબક્કાવાર બધા ફ્રેશ થતા રહે. અમારા બોલવાનો વારો આવે ત્યાં સુધી બધા થાકી જાય છે. હળવા અંદાજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીચ શરૂ કરી હતી. શાળા પ્રવેશોત્સવના 23 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદી નાની બાબતોમાં અપાર સંભાવનાઓ જોવે છે. એમાંથી આપડે પાઠ ભણી રોજ શું નવું કરી શકીએ તે શીખ્યા છીએ.

શાળા પ્રવેશોત્સવના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડ્રોપ આઉટ રેશીયો એક પર પોહોંચ્યો છે. પ્રવેશોત્સવમાં કોઈ બાકી ના રહી જાય તેના પર ફોકસ કરીએ. પહેલા ૩૫ ટકા ડ્રોપ આઉટ હતું અને તે સમયે નામાંકન ૧૦૦ ટકા ન હતું એટલે ડ્રોપ આઉટ પહેલા ખૂબ મોટો હતો. મુખ્ય કામ જે બાકી રહ્યું છે શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું વાંચન લેખન સો ટકા થાય. ફરિયાદો આવે છે ૬ ધોરણ સુધી વાંચતા કે લખતા નથી આવડતું. એ પરિસ્થિતિ માં થી બહાર આવી જવું જોઈએ. શિક્ષકો ત્યાં છે એમને શું કરવાનું એ આપડે શિખવવું. વાલીઓ કહે છે કે ભણ્યા ચાલશે ખેતર માં કોણ કામ કરશે. સ્કૂલ મોનિટરિંગ કમિટી વાલીઓ સાથે બેઠક કરે. ખેતી અને પશુપાલન માં ગ્રેજ્યુએટ થયેલા લોકો છે. શિક્ષણ ખૂબ જરૂરી છે એ ના થાય તો લક્ષ્યાંક પાર નહીં પડી શકે પહેલા કહેતા અભ્યાસ નહીં કરે તો દૂકાન પર બેસશે. શાળા પ્રવેશોત્સવ ની યાત્રામાં સો ટંકા નામાંકન પર પોહોંચ્યા છીએ. ગુણો માં વિદ્યાર્થીઓ સો ટકા પાસ થાય તે કામ કરવું છે.

આ પણ વાંચોઃ GMDCના MD રૂપવંત સિંઘ રાજ્યના મુખ્ય ટેક્સ કમિશનર, આલોક કુમાર પાંડે બન્યાં આદિજાતી કમિશનર

કાર્યક્રમ દરમિયાન DYCM હર્ષ સંઘવીનું નિવેદન

શાળા પ્રવેશોત્સવમાં શું કામગીરી કરવી કે ન કરવી એમાં પડવા નથી માંગતો. અહિયાં બેઠેલા લોકો 23 વર્ષથી શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઈ ચૂક્યા છે. સરકારી કામગીરીના ત્રણ દિવસ નહીં મનથી શિક્ષણ લેતા બાળકોને તમે સમય આપી રહ્યા છો. ત્રણ દિવસ મન મુકીને મહેનત કરશો તો પણ એટલા દિવસ આપવાના છે. સરકારી કામ સમજીને આપશો તો પણ ત્રણ દિવસ આપવાના છો. મન ને સંતોષ થાય તેવી રીતે કામ કરવાનું છે.

વિદ્યાર્થીઓને ખરાબ આદતમાંથી બહાર નીકાળવાની જવાબદારી આપડી છે. માત્ર સ્વચ્છતાની ચકાસણી ની જરૂર નથી. વિદ્યાર્થીઓ ગંદકી ના કરે તેવું શિખવાડીએ. આપડે જે બદલાવ લાવી શકીએ તે કોઈ કરી શકે નહીં. નાની બાબતો બદલીશું તો ઘણું બદલાવી શકીશું. ૬.૫ લાખ ડ્રોપ થયેલા બાળકો ને પરત લાવવા થયેલી કામગીરી ને બિરદાવું છું. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો પ્રયાસ સફળ બનાવીશું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar School Entrance Ceremony Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ