બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:18 PM, 20 June 2026
મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે આયોજિત એક ભવ્ય સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરવાની સાથે દેશની આંતરિક સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે અત્યાર સુધીનું સૌથી કડક નિવેદન આપ્યું છે. અમિત શાહે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરોને હાંકી કાઢવાનો ભારત સરકારનો સંકલ્પ દોહરાવતા કહ્યું કે, કાન ખોલીને સાંભળી લો, આ દેશ કોઈ ધર્મશાળા નથી કે ગમે તે આવીને વસી જાય. આ દેશમાં માત્ર એ જ વ્યક્તિ રહેશે, જે આ દેશની ધરતી પર જન્મ્યો છે અને અહીંનો કાયદેસરનો નાગરિક છે.
ADVERTISEMENT
I assure you that not only will infiltration across Bengal’s borders be stopped, but every infiltrator will also be identified and removed one by one.
— BJP (@BJP4India) June 20, 2026
Congress leaders and Uddhav Ji, who is sitting in Congress’s lap, want to survive by turning infiltrators into a vote bank.
I… pic.twitter.com/mY0TTk5oYc
ADVERTISEMENT
ગૃહમંત્રીએ કોલ્હાપુરની પવિત્ર ધરતી પરથી પૂર્ણ વિશ્વાસ સાથે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળની જનતાએ ભારતીય જનતા પાર્ટીને પોતાના આશીર્વાદ આપ્યા છે. તેમણે જનતાને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ પશ્ચિમ બંગાળની સરહદો પરથી થતી તમામ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીને કાયમ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આખા દેશમાંથી એક-એક ઘૂસણખોરને શોધી-શોધીને દેશની બહાર કાઢવાનું કામ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મજબૂત સરકાર જ કરશે.

ADVERTISEMENT
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર રાજકીય પ્રહારો કરતા અમિત શાહે જણાવ્યું કે, "ઉદ્ધવજી અત્યારે કોંગ્રેસની ગોદમાં જઈને બેસી ગયા છે. તેઓ આવા ગેરકાયદેસર ઘૂસણખોરોને પોતાની રાજકીય વોટબેંક (Vote Bank) બનાવીને જીવવા માંગે છે." તેમણે ઉમેર્યું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વમાં જ દેશની સરહદો સુરક્ષિત રાખવામાં આવશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ ગણાવતા અમિત શાહે જાહેરાત કરી કે પીએમ મોદીએ દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો એક અણનમ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આશરે 12 Years ના શાસનકાળ દરમિયાન મોદીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ સોમનાથથી લઈને ગંગાસાગર સુધી અને સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી તેમજ એનડીએ (NDA) ના શાસનનો વ્યાપ વધારવાનું અભૂતપૂર્વ કાર્ય સફળતાપૂર્વક થયું છે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે લોકો અગાઉ પૂછતા હતા કે ભાજપ દેશના અન્ય ભાગોમાં પહોંચી જશે પરંતુ પશ્ચિમ બંગાળનું શું થશે? પરંતુ ગત ચૂંટણીમાં બંગાળની જનતાએ પણ ભાજપને ભારે સમર્થન આપીને વિરોધીઓને શાંત કરી દીધા છે.
ADVERTISEMENT
અયોધ્યા રામ મંદિર આંદોલનના દિવસોને યાદ કરીને અમિત શાહે કહ્યું કે, જ્યારે અમે ખૂબ નાના હતા અને રામ જન્મભૂમિ આંદોલન માટે નગરમાં નીકળતા હતા, ત્યારે ઘણા વડીલો કહેતા હતા કે આપણા જીવનકાળમાં મંદિરનું નિર્માણ નહીં જોઈ શકીએ. આપણને પણ ઘણીવાર આશંકા થતી હતી. પરંતુ ભગવાન શ્રી રામની અસીમ કૃપાથી 2014 માં ભાજપની સરકાર બની, મોદીજી વડાપ્રધાન બન્યા અને આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પોતાની ભગવી ધ્વજા સાથે ગર્વભેર ઊભું છે. તેમણે ઉમેર્યું કે દેશમાં અત્યારે 'વિકાસ પણ અને વિરાસત પણ' ના મંત્ર હેઠળ ભવ્ય સાંસ્કૃતિક પુનરુત્થાન થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું પુનઃનિર્માણ પૂર્ણ થયું છે. સોમનાથનું મંદિર ફરીથી સોનાનું બની રહ્યું છે, મા કામખ્યાનો કોરિડોર બની રહ્યો છે અને હવે કોલ્હાપુરમાં મા અંબાબાઈનો ભવ્ય કોરિડોર બનાવવાનું કામ પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
ઉલ્લેખનીય છે કે આ જનસભાને સંબોધિત કરતા પહેલાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલ્હાપુરના પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરમાં જઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર દેશવાસીઓ પર માતાજીની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.