બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / આવતીકાલે મંગળનું વૃષભમાં ગોચર, 42 દિવસ સુધી આ લોકોએ રહેવું સાવધાન
7 ફોટો ગેલેરી
Last Updated: 06:26 PM, 20 June 2026
1/7
જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ગતિ આપણા જીવન પર અસર કરે છે.જેમાં મંગળનું રાશિ પરિવર્તન એક મોટી ખગોળીય ઘટના માનવામાં આવે છે. રવિવાર 21 જૂનના રોજ મંગળ પોતાની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 2 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં રહેશે, આ ગ્રહ પરિવર્તનથી બધી 12 રાશિઓના જીવનમાં ઉથલપાથલ થવાની સંભાવના છે. જેમાં અમુક આ ગોચર સફળતાના દરવાજા ખોલશે, તો અમુક માટે, આ સાવધાની અને તકેદારી રાખવાનો સમય છે.
2/7
મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. 42 દિવસ સુધી વૃષભ રાશિમાં રહેવાથી ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થશે જે મુખ્યત્વે નાણાકીય નિર્ણયો, સાહસ અને કાર્યક્ષમતાને અસર કરશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ મંગળનો આ પ્રભાવ દરેક રાશિ માટે અલગ અલગ હશે પરંતુ મિથુન અને તુલા સહિત 6 રાશિના લોકોએ આ દરમિયાન ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે.
3/7
આ 42 દિવસ દરમિયાન મંગળ વૃષભ રાશિમાં રહશે. જેમાં મિથુન અને તુલા રાશિઓ હેઠળ જન્મેલા લોકોએ તેમની દિનચર્યા અને નિર્ણયોમાં સાવધાની રાખવી જોઈએ. આ સમયગાળો તમારા માટે પડકારજનક હોઈ શકે છે. તેમને વર્ક પ્લેસ પર સાથીદારો સાથે હળીમળીને રહેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન અહંકાર ટાળવો અને તેમની વાણી પર કંટ્રોલ રાખવું ફાયદાકારક રહેશે.
4/7
5/7
મંગળનું ગોચર ઘણીવાર ઉતાવળિયા પગલાંને પ્રોત્સાહન આપે છે. 21 જૂનથી 2 ઓગસ્ટ વચ્ચે જોખમી રોકાણો ટાળવા જોઈએ. જો તમે કોઈ મોટા આર્થિક નિર્ણયો લેવાનું વિચારી રહ્યા છો તો તેને હાલ પૂરતું મુલતવી રાખવું કે અનુભવી સલાહ લેવી વધુ સારું રહેશે. વર્ક પ્લેસ પર વિવાદાસ્પદ પરિસ્થિતિઓ ટાળો. કેમ કે મંગળનો પ્રભાવ વિવાદો વધારી શકે છે.
6/7
જ્યોતિષ અનુસાર જો ગોચરની અસરો પ્રતિકૂળ હોય તો સરળ પગલાં રાહત આપી શકે છે. જેમાં મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. લાલ વસ્તુઓનું દાન કરવાથી કે લાલ વસ્ત્રો પહેરવાથી પણ મંગળ ગ્રહની નકારાત્મક અસરો ઘટી શકે છે. ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવાથી ગ્રહોની અસર પણ શાંત થાય છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ